કેનેડાની સેનાએ ભારતીયો માટે ભરતીના દ્વાર ખોલ્યા, સશસ્ત્ર દળોમાં જવાનોની ભારે ઘટ


  • Published By :
  • Published Date : 2022-11-14 18:27:16

કેનેડામાં નિવાસ કરતા ભારતીય સમુદાય માટે તે દેશની સેનામાં નોકરી મેળવવાનૌ માર્ગ મોકળો બની ગયો છે. દેશની ઘટતી વસ્તીથી પરેશાન કેનેડાની સરકારે હવે કેનેડાના સશસ્ત્ર દળોમાં હવે દેશમાં રહેતા કાયમી નિવાસીઓને પણ હવે સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે. કેનેડાની સેનામાં જવાનોની મોટા પ્રમાણમાં ઘટ સર્જાઈ છે.  


ભારતીયોને સેનામાં નોકરીની તક


મિડિયા રિપોર્ટ પ્રમાણે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની જુની ભરતી પ્રક્રિયામાં બદલાવ લાવવાની ઘોષણા કરવાના પાંચ વર્ષ બાદ હવે આ ઘોષણા કરવામાં આવી છે. કેનેડાની સરકારના આ પગલાથી કેનેડામાં છેલ્લા 10 વર્ષથી નિવાસ કરતા ભારતીયો પણ નોકરી માટે અરજીઓ કરી શકશે.


કેનેડાની સેનામાં જવાનોની ભારે ઘટ


કેનેડાની સેનામાં ભરતીના ઈચ્છુક કે જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને તે ગ્રેડ 10 કે ગ્રેડ 12ની ડિગ્રી મેળવી તે અરજી કરી શકશે. CAFએ સપ્ટેમ્બરમાં હજારો ખાલી જગ્યાઓ ભરવાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમાંથી અડધા હોદ્દાઓ પર ભરતી કરવા માટે તેમણે આ વર્ષે દર મહિને  5,900 જવાનોની ભરતી કરવી પડશે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.