શું BJP 400ના લક્ષ્યાંકને પાર કરી શકશે? સાંભળો શું કહ્યું Navsariના યુવાને જ્યારે Jamawat Election Yatra પહોંચી હતી નવસારી


  • Published By :
  • Published Date : 2024-05-03 12:45:03

ગુજરાતની 26એ 26 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે... આ વખતે પણ 26 બેઠક ભાજપને જાય અને પાંચ લાખની લીડ સાથે જીત થાય તે ઈરાદા સાથે ભાજપ આગળ વધી રહી છે...મતદાન કરવા જતા પહેલા લોકો આ ચૂંટણીને કઈ રીતે જોવે છે, કયા મુદ્દાઓની અસર તેમને થાય છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમ કરી રહી છે.. જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી નવસારી અને ત્યાંના યુવાનો સાથે વાત કરી હતી.. 

ચૂંટણીને લઈ શું વિચારે છે ભારતની યુવા પેઢી

જમાવટની ઈલેક્શ યાત્રા મતદાતાઓ સાથે વાતચીત કરતી હોય છે અને તેમના મુદ્દાઓને જાણવાની કોશિશ કરતી હોય છે...દેશના ભાવિ આ ચૂંટણીને લઈ શું વિચારે છે, રાજકીય પાર્ટીને લઈ શું વિચારે છે તે જાણવા માટે ક્રિકેટ રમી રહેલા યુવાનો સાથે ટીમે વાત કરી હતી... યુવાનો દ્વારા અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી, વાત સાંભળી તમને થશે કે વાત સાચી છે. કોઈ યુવાનો ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં બોલ્યા તો કોઈએ કહ્યું કે આપણે ત્યાં ઉમેદવારને જોઈને વોટ આપવો જોઈએ... 


કોણ છે નવસારી બેઠકના ઉમેદવાર? 

નવસારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સી.આર.પાટીલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષેદ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.. ત્યાં હાજર એક યુવાને વાત કરી કે આપણે ઉમેદવારને જોઈ વોટ નથી આપતા પરંતુ પાર્ટીને જોઈ વોટ આપીએ છીએ.. ઉમેદવારને જોઈ વોટ કરવો જોઈએ કારણ કે તમારા વિસ્તાર માટે તે કામ કરવાના છે.....! 


દિલ્હીની રાજનીતિ વિશે યુવાને કહ્યું કે.. 

ઈન્ડિયા ગઠબંધનને લઈ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વિપક્ષ પાસે સારો કેન્ડીડેટ નથી... એક યુવાને રાજસ્થાન અને દિલ્હીના રાજકારણની વાત કરી.. દિલ્હી માટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે તેનો ફાયદો કદાચ આપને થઈ શકે, પરંતુ કંઈ કહેવાય નહીં..! જ્યારે બીજા એક યુવાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નવસારીમાં વિકાસ થયો છે.. 


રોજગારીને લઈ યુવાને કહ્યું કે...  

વધારે એક મતદાતાને પૂછવામાં આવ્યું કે રોજગારી મળે છે તો તેમણે કહ્યું કે રોજગારી મળે છે... સરકાર તો ભાજપની જ બનશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... અલગ અલગ મુદ્દાઓ પર યુવાનોએ વાત કરી હતી.. ત્યારે જોવું રહ્યું કે નવસારી બેઠક પર કયા ઉમેદવારની જીત થાય છે...   




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.