અમદાવાદ: ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવાતા હોબાળો, હિન્દુ સંગઠનોના કાર્યકરોએ શિક્ષકને ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2023-10-03 21:14:54

રાજ્યની શાળાઓમાં સાંસ્કૃતિક પ્રવૃતિઓના ભાગરૂપે થતાં કાર્યક્રમો ઘણી વખત વિવાદનું કારણ બનતા હોય છે. આજે અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવાતા હડકંપ મચી ગયો હતો. આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થતાં જ ABVP અને હિન્દુ સંગઠનો વીએચપી અને બજરંગ દળના કાર્યકરો સ્કૂલમાં ધસી આવ્યા હતા. રોષે ભરેલા આ કાર્યકરોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો અને કલ્ચરલ એક્ટિવિટી કરાવતા શિક્ષકને ઢોર માર માર્યો હતો. 27 સપ્ટેમ્બરે ઈદને લઈને શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બીજા ધોરણમાં ભણતા પાંચ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોય તેવો વીડિયો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.



શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ ઘટના અંગે સમગ્ર રિપોર્ટ મંગાવ્યો


હિન્દુ સંગઠનો કાર્યકરોએ પહેલા તો કેલોરેક્સ સ્કૂલના પ્રિન્સિપલની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી હતી. બાદમાં શિક્ષકની ધોલાઈ કરી હતી.  જોકે, સ્કૂલના સંચાલકોએ ભૂલ સ્વીકારી લેખિતમાં માફી માગી છે. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં થાય તેની ખાતરી આપી હતી. વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળામાં પહોંચી વિરોધ કર્યો તે બાદ શાળા તંત્ર દ્વારા નમાઝના કાર્યક્રમ બદલ માફીનામુ પણ જાહેર કરવામાં આવ્યુ છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવી શાળા દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. માફીનામામાં પણ આવી ભૂલ ન થાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રીએ જિલ્લાશિક્ષણાધિકારીને તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના સંચાલકોને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે.  અમદાવાદની  શાળામાં  નમાજને લઈને શિક્ષણમંત્રી એક્શનમાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ ઘટનાને લઈને સમગ્ર રિપોર્ટ મંગાવ્યો છે.  શાળામાં વિવાદના મુળ સુધી પહોંચવા શિક્ષણમંત્રીએ સૂચના આપી છે. શાળામાં શિક્ષણના કાર્ય પર ભાર મૂકવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.   


શું હતો સમગ્ર મામલો?


કેલોરેક્સ સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન ઇદના દિવસે વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવવામાં આવી હતી અને તેનો વીડિયો સ્કૂલે પહેલા પોતાના સોશિયલ મીડિયા પેજ પર ચડાવ્યો હતો બાદમાં ઉતારી લીધો હતો. જોકે એ સમયગાળા દરમિયાન આ વીડિયો વાયરલ થઇ ગયો હતો. જેને લઇને આજે સ્કૂલમાં હિન્દુ સંગઠનો વિરોધ કરવા પહોંચ્યા હતા.વિવાદને વકરતો જોઇને સ્કૂલ દ્વારા માફી માગવામાં આવી હતી. બીજી તરફ એબીવીપી દ્વારા સ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વીએચપીના આગેવાનો દ્વારા સ્કૂલ સામે પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ સ્કૂલને નોટિસ ફટકારી છે અને નમાઝ પઢાવવા બાબતે તત્કાલ સ્વરૂપે જવાબ રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!