કોલકાત્તા હાઈકોર્ટે રિપબ્લિક બાંગ્લા'ના પત્રકારને આપ્યા જામીન, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-22 18:09:15

કોલકાત્તા હાઈકોર્ટે સીએમ મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો છે, કોર્ટે 'રિપબ્લિક બાંગ્લા'ના પત્રકાર સન્તુ પાનને જામીન આપ્યા છે. પંશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના થઈ રહેલા જાતિય શોષણ મુદ્દે રિપોર્ટિંગ કરી રહેલા સન્તુ પાનની લાઈવ કેમેરા સામે બંગાળ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે રિપબ્લિક તરફથી સિનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ કોર્ટમાં દલીલો કરી હતી. ઉલ્લેખનિય છે કે સન્તુ પાનની ધરપકડ બાદ દેશભરમાં પત્રકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. 


શું છે સમગ્ર મામલો?


પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં આવેલા સંદેશખાલીમાં છેલ્લા એક મહિનાથી માહોલ ગરમ છે. ટીએમસી નેતા શાહજહા શેખ તેના સાથીદારો શિબૂ હાજરા અને ઉત્તમ સરદાર સહિતના લોકો પર આરોપ છે કે કે સુંદર મહિલાઓને ઘરેથી ઉપાડીને ટીએમસીની સ્થાનિક ઓફિસ લઈ આવતા હતા અને તેમનું જાતિય શોષણ કરતા હતા. આ મહિલાઓને બંદી બનાવી રાખતા હતા. રાષ્ટ્રિય મહિલા આયોગ (NCW)ની અધ્યક્ષ રેખા શર્માએ આ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં આ મહિલાઓ તરફથી ફરિયાદ નોંધાવી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે