પબુભા બાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતની જાહેરાત, પગાર ભથ્થું નહીં લેવાનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-23 18:13:34

રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક કરોડપતિ ધારાસભ્યો વિજયી થયા હતા. આ અમિર ધારાસભ્યોએ પગાર અને ભથ્થા નહીં લેવાનો નવો ચીલો ચાતર્યો છે. દેવભૂમિ દ્વારકા બેઠક પરથી ચૂંટાનારા પભુભા માણેક બાદ સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ મંત્રી તરીકેનું પગાર ભથ્થું નહીં સ્વીકારવાની જાહેરાત કરી છે.


CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર 


કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સંભાળે છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર લખીને પગાર ભથ્થું નહીં સ્વીકારવાની જાહેરાત કરી. આર્થિક રીતે સધ્ધર બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી બે વાર જીત્યા છે. 2022ની ચૂંટણીમાં બળવંતસિહ રાજપૂતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂતને હરાવીને 2753 મતે જીત મેળવી હતી.


કોણ છે બળવતસિંહ રાજપુત?


નવા મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપુત 100 કરોડથી વધુની એટલે કે 327 કરોડની મિલકતો ધરાવે છે. સફળ બિઝનેસ મેન અને ગોકુલ ગૃપના માલિક બળવંતસિંહ રાજપુત ગ્રેજ્યુએટ છે. 2022ની ચૂંટણીમાં બળવંતસિહ રાજપૂતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂતને હરાવીને 2753 મતે જીત મેળવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.