ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી, સરકારે લીધા આ મહત્વના નિર્ણયો


  • Published By :
  • Published Date : 2023-02-14 19:14:30

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ મિટિંગમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તે અંગે જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે સામાન્ય રીતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ આ વખતે બુધવાર અને ગુરુવારે વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સાંસદીય બ્યુરો દ્વારા ધારાસભ્યો માટેનું વર્કશોપ યોજાવાનું છે. જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહેવાના છે. તે કારણે કેબિનેટની બેઠક એક દિવસ વહેલા એટલે કે આજે મંગળવારે યોજાઈ હતી.


ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનશે


ઋષિકેશ પટેલે કેબિનેટ મિટિંગમાં લેવામાં આવેલા મોટા નિર્ણયો જેવા કે રાજ્ય સરકાર ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનાવશે અને વિલંબ થઈ છે તેવી તમામ સંવર્ગની પરીક્ષાઓ માટે ડેટા તૈયાર થશે. ઝડપી પરીક્ષાનું આયોજન થાય તે માટે અને નિયમિત પરીક્ષા ભવિષ્યમાં લેવાય તે માટે આદેશ અપાયા છે. પ્રમોશન નથી મળ્યા તેવા કર્મચારીઓ માટે માળખું તૈયાર કરવા અંગે વિચાર વિમર્સ થયો છે.


શાળાઓમાં ગુજરાતી અનિવાર્ય


ગુજરાતી ભાષાને લઈ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સરકાર દ્રઢ સંકલ્પ છે. તેમણે કહ્યું કે ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે કડક પગલા લેવાશે. ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી જો કે, હવે સરકારે કડક હાથે કાર્યવાહી કરવાની સરકારે તૈયારી દર્શાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. વળી આ જ મુદ્દે અગ્રણી સાહિત્યકારો મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા હતા અને  રજુઆત કરી હતી. 


માતૃભાષા દિવસની ઉજવણી


રાજ્ય સરકાર માતૃભાષાનું ગૌરવ વધારવા માટે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરશે. આ મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. જેમાં નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં વિશ્વ માતૃ ભાષા દિવસ પર ભવ્ય કાર્યક્રમ યોજાશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકોની યાત્રા નીકળશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.