આનંદો! CNG અને PNGના ભાવ 10 ટકા સુધી ઘટશે, જાણો સરકારે શું નિર્ણય કર્યો


  • Published By :
  • Published Date : 2023-04-07 17:14:11

કેન્દ્ર સરકાર  CNG અને PNGના ભાવમાં 10 ટકા જેટલો ઘટાડો કરે તેવું અનુમાન છે, પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટએ સ્થાનિક કુદરતી ગેસના ભાવ નિર્ધારણની નવી ફોર્મ્યુલાને મંજુરી આપી છે. તે સાથે જ CNG અને PNGના ભાવની મહત્તમ સીમા નક્કી કરી છે. કેબિનેટએ એપીએમ ગેસ માટે 4  ડોલર પ્રતિ એમએમબીટીયુના ટેકાના ભાવને મંજુરી આપી દીધી છે.  તે સાથે જ મહત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ એમએમબીટીયુ રાખવા પર પણ મહોર લાગી ગઈ છે. 


ક્રૂડ સાથે લિંક હશે ભાવ 


નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક પ્રાકૃતિક ગેસના ભાવ આંતરરાષ્ટ્રિય હબ ગેસની જગ્યાએ ઈમ્પોર્ટેડ ક્રુડની સાથે લીંક હશે. સ્થાનિક ગેસની કિમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક દામને મંથલી એવરેજના 10 ટકા હશે. તેના કારણે પીએનજી, સીએનજી, ફર્ટિલાઈઝર પ્લાંટ વગેરેને ફાયદો થશે. જેનો સીધો લાભ સ્થાનિક ગ્રાહકોથી લઈને ખેડૂતો, વાહન ચાલકોને થશે. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.