આનંદો! CNG અને PNGના ભાવ 10 ટકા સુધી ઘટશે, જાણો સરકારે શું નિર્ણય કર્યો


  • Published By :
  • Published Date : 2023-04-07 17:14:11

કેન્દ્ર સરકાર  CNG અને PNGના ભાવમાં 10 ટકા જેટલો ઘટાડો કરે તેવું અનુમાન છે, પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટએ સ્થાનિક કુદરતી ગેસના ભાવ નિર્ધારણની નવી ફોર્મ્યુલાને મંજુરી આપી છે. તે સાથે જ CNG અને PNGના ભાવની મહત્તમ સીમા નક્કી કરી છે. કેબિનેટએ એપીએમ ગેસ માટે 4  ડોલર પ્રતિ એમએમબીટીયુના ટેકાના ભાવને મંજુરી આપી દીધી છે.  તે સાથે જ મહત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ એમએમબીટીયુ રાખવા પર પણ મહોર લાગી ગઈ છે. 


ક્રૂડ સાથે લિંક હશે ભાવ 


નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક પ્રાકૃતિક ગેસના ભાવ આંતરરાષ્ટ્રિય હબ ગેસની જગ્યાએ ઈમ્પોર્ટેડ ક્રુડની સાથે લીંક હશે. સ્થાનિક ગેસની કિમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક દામને મંથલી એવરેજના 10 ટકા હશે. તેના કારણે પીએનજી, સીએનજી, ફર્ટિલાઈઝર પ્લાંટ વગેરેને ફાયદો થશે. જેનો સીધો લાભ સ્થાનિક ગ્રાહકોથી લઈને ખેડૂતો, વાહન ચાલકોને થશે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."