આનંદો! CNG અને PNGના ભાવ 10 ટકા સુધી ઘટશે, જાણો સરકારે શું નિર્ણય કર્યો


  • Published By :
  • Published Date : 2023-04-07 17:14:11

કેન્દ્ર સરકાર  CNG અને PNGના ભાવમાં 10 ટકા જેટલો ઘટાડો કરે તેવું અનુમાન છે, પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટએ સ્થાનિક કુદરતી ગેસના ભાવ નિર્ધારણની નવી ફોર્મ્યુલાને મંજુરી આપી છે. તે સાથે જ CNG અને PNGના ભાવની મહત્તમ સીમા નક્કી કરી છે. કેબિનેટએ એપીએમ ગેસ માટે 4  ડોલર પ્રતિ એમએમબીટીયુના ટેકાના ભાવને મંજુરી આપી દીધી છે.  તે સાથે જ મહત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ એમએમબીટીયુ રાખવા પર પણ મહોર લાગી ગઈ છે. 


ક્રૂડ સાથે લિંક હશે ભાવ 


નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક પ્રાકૃતિક ગેસના ભાવ આંતરરાષ્ટ્રિય હબ ગેસની જગ્યાએ ઈમ્પોર્ટેડ ક્રુડની સાથે લીંક હશે. સ્થાનિક ગેસની કિમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક દામને મંથલી એવરેજના 10 ટકા હશે. તેના કારણે પીએનજી, સીએનજી, ફર્ટિલાઈઝર પ્લાંટ વગેરેને ફાયદો થશે. જેનો સીધો લાભ સ્થાનિક ગ્રાહકોથી લઈને ખેડૂતો, વાહન ચાલકોને થશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.