C.R.Patilએ કરી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક? પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિવાદને શાંત કરવા હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી મેદાનમાં?


  • Published By :
  • Published Date : 2024-04-25 17:53:30

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે... ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આ વિવાદ શાંત થયો નથી... ત્યારે આ વિવાદ જલ્દી શાંત થાય તે માટે હર્ષ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરને મેદાનમાં ઉતાર્યા છે.. અલગ અલગ જગ્યાઓ પર આ બંને નેતાઓ બેઠકો કરી રહ્યા છે. મહત્વનું છે આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી.આર.પાટીલે મુલાકાત કરી હતી. દક્ષિણ ગુજરાતના 108 આગેવાનો સાથે પાટીલે વાતચીત કરી. 

ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠેલા રોષને શાંત કરવા કવાયત 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી યોજાવાને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે... એક તરફ પ્રચારનો ધમધમાટ છે તો બીજી તરફ વિરોધનું વંટોળ છે... ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવા માટે મેદાનમાં હોય તેવું લાગી રહ્યું છે તો ભાજપે પણ આ વિવાદને શાંત કરવા, ડેમેજ કંટ્રોલ કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને તેમજ સંગઠન મહામંત્રીને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા થોડા દિવસોમાં આ બંને નેતાઓ દ્વારા અનેક જગ્યાઓ પર બેઠક કરવામાં આવી અને આ બેઠકોમાં ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ હતા.. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી હતી કે ક્ષત્રિય સમાજના પણ આગેવાનો બેઠકમાં હાજર હતા..



આ જગ્યાઓ પર કરવામાં આવી છે બેઠક    

આ વિવાદને શાંત કરવા અને ક્ષત્રિય સમાજને મનાવવા ગુજરાતના અલગ અલગ શહેરોમાં આને  લઈ 10થી વધુ બેઠક થઈ ચૂકી છે. જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર,કચ્છ , હિંમતનગર , બનાસકાંઠા , રાજકોટ સહિતના વિસ્તારોમાં આ બેઠકો થઈ ગઈ. આ તમામ બેઠકોમાં થયેલી વાતોને ગુપ્ત રાખવામાં આવી છે. પરંતુ મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર આ બેઠકમા ચર્ચા થાય છે. પહેલું બીજેપી હાઈકમાન્ડએ ક્ષત્રિય સમાજની લાગણીઓનો આદર કરવા સૂચના આપી છે .



બેઠકમાં અપાયા આ સૂચન! 

આ દરેક બેઠકો શરુ થતાં જ એક વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે , પરષોત્તમ રૂપાલાએ જે પણ નિવેદન કર્યું તેનો બચાવ ભાજપ કરતુ નથી. ભાજપ તરફથી થયેલા પ્રયાસ અને મંગાયેલી માફીના પ્રયાસોની જાણ ક્ષત્રિય સમાજને કરવામાં આવે છે. આ સાથે જ સામાજિક નેતાઓ સાથે કરાયેલા સંકલનની જાણકારી અપાય છે. તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ સૂચના આપી છે કે , સમાજની ભાવનાઓ જયારે શાંતિપૂર્ણ રીતે વ્યક્ત થતી હોય ત્યારે , તેમાં અડચણ ન બનવું . ક્યાંય પણ ભાવના વ્યક્ત કરતી વખતે કે વિરોધ કરતી વખતે વર્ગવિગ્રહ ના થાય તેની સૂચના અપાઈ છે . 


ભાજપના નેતા અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે મળી હતી બેઠક!

આ બેઠકોમાં છેલ્લે એક વાત તો ચોક્કસ કરવામાં આવે છે , ભાજપનો પાયો મજબૂત કરવામાં ક્ષત્રિય સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે . ભાજપ અને ક્ષત્રિયો સિક્કાની બે બાજુ સમાન છે. ક્ષત્રિયોના ભાજપ સાથેના તાર અને ભાજપની ક્ષત્રિયો માટેની લાગણી દિલથી જોડાયેલી છે. મહત્વનું છે કે આની પહેલા ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના લોકો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક મળી હતી. એ બેઠકમાં એવી આશા હતી કે વિવાદનો અંત આવશે પરંતુ તેવું ના થયું. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે જ્યારે ભાજપ પણ આ વિવાદને શાંત કરવામાં લાગી ગઈ છે. 



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે