વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષના પદ મુદ્દે CR પાટીલે આપ્યો આવો જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-22 14:31:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થયા બાદ પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કદ વધ્યું છે. ભાજપને 156 સીટો મળી તે માટે પાટીલની સચોટ રણનિતી અને પીએમ મોદીનું કરિશ્માતી નેતૃત્વને યથ આપવામાં આવે છે. મોદીની લોકપ્રિયતાની ખુદ સી આર પાટીલે પણ પ્રશંસા કરી છે. તેમણે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું હતું કે પીએમ મોદીના લોકપ્રિયતાના કારણે જ સત્તા વિરોધી લહેર હોવા છતાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. 


નેતા વિપક્ષ અમારી જવાબદારી નથી-પાટીલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળશે? તે મુદ્દે સી આર પાટીલે સ્પષ્ટતા કરતા કહ્યું કે લોકશાહીમાં મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પરંતુ તેની જવાબદારી શાસક પક્ષની નથી હોતી. જે વિપક્ષ હોય તેણે સારી મહેનત કરવી જોઈએ. જો કે પાટીલે આ અંગે કોઈ પાર્ટીનું નામ લીધા વગર જ શાબ્દિક પ્રહારો કર્યા હતા.  


2024ની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ  બનાવશે


વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે અંગે સીઆર પાટીલે નિવેદન કહ્યું કે આગામી 2024 ચૂંટણીમાં ભાજપ મોટો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. પાર્ટીએ ઘણી બેઠકો જીતી છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. તે ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીની જીત માટે મોદી મેજિકથી લઈ રણનીતિ અંગે પણ જાણકારી આપી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.