C R પાટિલએ કર્યા કેજરીવાલ પર પ્રહાર !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 20:20:54

C R પાટિલએ કર્યા કેજરીવાલ પર પ્રહાર !!!!

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના એક કાર્યક્રમમાં C R પાટિલએ સભાને સંબોધતા કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું જૂઠાણાનો સરદાર એક પછી એક ગેરેન્ટી આપે છે. કારણ કે તેને આપીને ભૂલી જવાની છે પણ નરેન્દ્ર ભાઈ જે કહે છે તે કરી બતાવે છે.”

 

દ્વારકામાં ડિમોલીશન પર શું કહ્યું પાટિલે ?

જ્યારે પાટિલએ દ્વારકા ડિમોલીશન પર વાત કરતાં કહ્યું કે દ્વારકાએ શ્રી કૃષ્ણની નગરી છે ત્યાં કોઈ ગેરકાયદેસર બાંધકામ હોવું જોઈએ નહીં. અને એટલેજ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સૂચનાથી દ્વારકા પ્રસાશન દ્વારા ગેર કાયદેસર બાંધકામ તોડી દેવામાં આવ્યું છે.. અને જેના કારણે લોકોએ દ્વારકા પ્રસાશનનો આભાર વ્યક્ત કર્યો છે.

 

કોંગ્રેસ પર પણ કર્યા પ્રહાર

કેજરીવાલ સાથે સાથે કોંગ્રેસ પર પણ સી આર પાટિલે પ્રહાર કર્યા તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું સોનિયાનું રિમોટ તૂટવા આવ્યું છે. ચૂંટણીઓમાં સોનિયા કુંવરને આગળ રાખતા હતા પણ કુંવર જ્યાં જાય ત્યાં ઉમેદવાર તો ઠીક કોંગ્રેસ હારી જાય છે. રાહુલ ગાંધી દેશ જોડે યાત્રા કરવા નિકળ્યા પણ ગુજરાતને સાઈડ લાઇન કર્યું કારણ કે તેને ગુજરાત પ્રત્યે પ્રેમ નથી.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.