સૌરાષ્ટ્ર ભાજપના આ કદાવર નેતાને સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-27 11:46:50

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક ખટરાગ સામે આવી રહ્યો છે, રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ બેન માડમ વચ્ચેનો વિવાદ હજુ તાજો જ છે ત્યાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તથા સહકારી આગેવાનો બાબુભાઈ નસીત અને નીતિન ઢાકેચાની આંતરિક લડાઈએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આજ કારણે ભાજપે ત્રણેય અગ્રણી નેતાને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આદેશ ન માનવાને લઈ શિસ્ત ભંગની નોટિસ ફટકારી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીબને જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. જો કે અરવિંદ રૈયાણીએ પાર્ટી તરફથી કોઈ નોટિસ મળી હોવાનો સાફ ઈન્કાર કર્યો છે.


શા માટે રાજકારણ ગરમાયું?

 

રાજકોટ લોધિકા સંઘમાં નિમણૂકમા પાર્ટીના આદેશ બાદ પણ ભાજપના જ આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. પાર્ટીએ આપેલા વ્હીપની અવગણના કરવામાં આવી હોવાથી પાર્ટીએ શિસ્ત ભંગની નોટિસ ફટકારી હતી. અરવિંદ રૈયાણી અને તેમના સાથીઓએ અગાઉ સંઘમાંથી હાંકી કઢાયેલા ડિરેક્ટરો ભાનુભાઈ મહેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીને ગેરલાયક ઠેરવવા અરજી કરી હતી.


પાર્ટીએ ખુલાસો માગ્યો 


રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં પ્રદેશ ભાજપના વ્હિપનું ઉલ્લંઘન કરનાર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત અને મનસુખ સરધારાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આઠેય આગેવાનો સામે આગામી દિવસોમાં આકરા પગલાં તોળાઇ રહ્યાનો નિર્દેશ રાજકીય આગેવાનોએ આપ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.