C.J.Chavdaએ MLA પદ ઉપરથી આપ્યું રાજીનામું, હાઈકમાન્ડને ખુશ કરવાની એટલી બધી ઉતાવળ હતી કે ધારાસભ્ય ભૂલી ગયા વડોદરામાં બનેલી દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2024-01-19 11:41:10

વડોદરામાં આટલી દુઃખદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. છતાંય આ નેતાઓ રાજકારણ કરવામાંથી ઊંચા નથી આવતા  આ નેતાઓ છે, એ લોકો માત્ર પોતાનું જ વિચારતા હોય છે. કેટલાક નેતાઓ એવા છે જેમને કઈ જ ફર્ક નથી પડતો હોતો કોણ મરે કોણ જીવે બસ એમને એટલું જ જોઈએ કે અમને વોટ આપો અને જિતાવો. એવા જ એક કોંગ્રેસના ધારાસભ્ય છે જે ક્યારના ભાજપમાં જાઉં જાઉં કરતા હતા તેમણે રાજીનામુ આપી દીધું છે 

સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બની શકે છે સી.જે.ચાવડા 

ગુજરાત કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણી આવે એટલે આપણને ખબર જ છે કે આયા રામ ગયા રામ થવાનું જ છે અને આપણે ફરી એકવાર વોટ આપવા લાઈનમાં ઉભું રહેવાનું છે કારણ કે પેટા ચૂંટણી તો થવાની જ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચી રાજીનામું આપ્યું અને સી. જે ચાવડા ગમે ત્યારે જોડાઈ શકે છે ભાજપમાં. સાબરકાંઠાથી લોકસભાના ઉમેદવાર બની શકે છે સીજે ચાવડા..ભાજપ હાઈ કમાન્ડ સાથે બેઠક થયા બાદ સીજે ચાવડાએ કોંગ્રેસને રામરામ કર્યા છે. 



જો થોડા સમય બાદ રાજીનામું આપ્યું હોત તો શું બગડી જતું? 

ધારાસભ્ય એટલે જનપ્રતિનિધિ કહેવાય પણ જનપ્રતિનિધિને પોતાની જ પરવાહ હોય એવા જનપ્રતિનિધિને શું કહેવા જવું કારણ કે વડોદરાના હરણી તળાવમાં દુઃખદ ઘટના સર્જાઈ છે છતાંય આ ધારાસભ્યને એટલી ઉતાવળ હતી તેઓએ મોતનો મલાજો પણ ન સાચવ્યો પણ પોતાની કારકિર્દી સાચવવા પહોંચી ગયા રાજીનામુ આપવા. એમને જરાય એમ નહિ થયું હોય કે આખું વડોદરા સુમસામ છે. આ ઘટનાથી ઠેર ઠેર દુઃખદ વાતાવરણ છે તેની વચ્ચે તમે તમારું રાજકારણ અને પક્ષપલટો થોડા સમય માટે ભૂલી જાઓ. હાઇકમાંડને ખુશ કરવાની એટલી તો કેટલી ઉતાવળ હતી કે મોતનો મલાજો પણ તમે ના જાળવી શક્યા...


વિધાનસભાનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે... 

કોંગ્રેસ અને આપ આદમી પાર્ટીમાંથી વધુ રાજીનામાં પડી શકે છે ભાજપે તો જેમ શાળામાં ભરતી થતી હોય એમ દુકાન ખોલી દીધી છે કે આવો અમારે ત્યાં ભરતી થાઓ અમારા દરવાજા ખુલ્લા છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. 182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટી ગઈ છે.   


આગામી સમયમાં વધુ ધારાસભ્યો આપી શકે છે રાજીનામું 

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. આ ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 15નું થઈ ગયું છે. કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!