દેશની સૌથી મોટી એડટેક કંપની બાયજુ (Byju's)માં 400 કર્મચારી છટણી, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-18 20:46:50

દેશની સૌથી મોટી એડટેક કંપની બાયજુ (Byju's)માં મોટી છટણી કરવામાં આવી છે. કંપની મેન્ટરિંગ (mentoring) તથા પ્રોડક્ટ એક્સપર્ટ ડિવિઝન (product expert division)માંથી 400 કરતાં વધુ વધારે કર્મચારીની છટણી કરી હોવાની જાણકારી મળી છે. ગયા મહિને અનેક કર્મચારીઓના પર્ફોમન્સ રિવ્યુ (Performance Review)બાદ જેમને 17મી ઓગસ્ટના રોજ રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે.


કંપનીએ છટણીની વાતને નકારી


વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે 400 જેટલા કર્મચારીઓને ગુરુવારે છટણી (Layoffs) માટે HR દ્વારા કહેવામાં આવ્યું હતું. અલબત્ત BYJUએ ભારપૂર્વક કહ્યું છે કે આ છટણી ખર્ચકાપ (Cost-Cutting)ના ભાગરૂપે નથી અને તેનાથી આશરે 100 કર્મચારીને અસર થઈ છે. પર્ફોમન્સ ઈન્પ્રૂવમેન્ટ પ્લાન બાદ 'Meet Expectations"ને હાંસલ કરવામાં નિષ્ફળ જતા યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે HRએ કર્મચારીઓને કોલ કર્યો હતો અને વાકેફ કરવામાં આવ્યા હતા કે તેમના ઈમેલ એડ્રેસ (email addresses) આગામી બે કલાકમાં ડિએક્ટિવેટેડ (deactivated) થઈ જશે. તથા પે સ્લીપ્સ અને અન્ય દસ્તાવેજોને ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.


મની-લોન્ડ્રિંગની ચાલી રહી છે તપાસ 


અત્રે ઉલ્લેખનીય છે કે  Byju's હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહી છે. કંપનીના પરિસરમાં મની-લોન્ડ્રિંગ તપાસ સાથે જોડાયેલા અધિકારીઓએ તેના કાર્યાલયોની તપાસ કરી હતી તથા તેના બોર્ડમાંથી કેટલાક ડિરેક્ટર તથા ઓડિટર્સે રાજીનામા આપી દીધા હતા. 1.2 અબજ ડોલરના દેવાને લગતી શરતોમાં સુધારો કરવા આ મહિનાની શરૂઆતમાં તેના ક્રેડિટર્સ દ્વારા નક્કી કરવામાં આવેલી નિયત તારીખ પણ ચુકી જવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.