આ વીડિયો જોઈને તમને ખ્યાલ આવી જશે કે 9 લોકોને કચડવા માટે હિંમત કયાંથી આવે છે! યુ-ટ્યુબ ચેનલ પર મળ્યો તેનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-21 14:03:51

દરેક જગ્યાઓ પર અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતને લઈ વાતો થઈ રહી છે, ચર્ચા થઈ રહી છે, તથ્ય પટેલને સજા આપવામાં આવે તેવી માગ મૃતકોના પરિવારજનો કરી રહ્યા છે. તથ્ય પટેલ તેમજ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તથ્ય પટેલની જાણકારી મેળવવા માટે જ્યારે તેનું સોશિયલ મીડિયા ચેક કરવામાં આવ્યું ત્યારે એક ગીત મળ્યું. એ ગીતના શબ્દો પર ધ્યાન આપીએ તો તેમાં તે ગાઈ રહ્યો છે ‘મેં જાલીમ હત્યારા, મેને ક્યા નહીં ફાડા’. 

પોતાના ગુન્હાનો તથ્યને પછતાવો નથી!

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 10 લોકોનો ભોગ લેનાર નબીરા તથ્ય પટેલનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો છે. નિર્દોષ લોકોના હત્યારા તથ્યએ ગુનાખોરીનો એક વિડિયો સામે આવ્યો છે. તથ્ય પટેલ પોતાની યુ- ટ્યુબ ચેનલ ચલાવતો હતો. તથ્ય SICKK OFFICIALS નામે યુ-ટ્યુબ ચેનલ ચલાવતો હતો. જોકે યુ ટ્યુબ ચેનલ ચલાવવી કે મોંઘી ગાડીઓ અને વીડિયો શૂટનો શોખ રાખવો કોઈ ગુનો નથી પરંતુ તથ્ય દ્વારા જે રીતે લોકોને ફંગોળી નાખવામાં આવ્યા પછી તેના મોંઢા પર તેણે કરેલી ગંભીર ભુલનો કોઈ પસ્તાવો ન હતો.

પ્રજ્ઞેશ પટેલ તેમજ તથ્ય પટેલને કરાવી ઉઠક બેઠક  

તેને જ્યારે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તે સામે ઉભેલા કોઈ વ્યક્તિ ને થમ્બ બતાવતો જોવા મળ્યો હતો. ત્યાર પછી તો તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખી ઘટનાના બીજા દિવસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત પોલીસે મીડિયાની હાજરીમાં ત્યાં બંને આરોપીઓ પાસે માફી મંગાવી હતી અને ઉઠક-બેઠક પણ કરાવી હતી. આ બધુ ખૂબ સ્વાભાવિક હતું પણ શું આ ઉઠક બેઠક કરાવાથી તે માંને પોતાનો દીકરો પાછો મળી જશે? એ કરુણ દ્રશ્યો જે ગઈ કાલે જોયા છે જ્યારે બોટાદમાં મૃતકોની અર્થીઓ ઉઠી હતી .ગઈકાલે ઘણા બધા વીડિયો આપણે જોયા જેમાં તથ્ય અને તેના પિતા પોલીસ સ્ટેશનમાં ભોજન લેતા હોય છે તો તેના પર નજર કરીએ 


આ ઘટનાને આપણે બે દિવસ પછી ભૂલી જઈશું અને પછી શું? 

જ્યારે તથ્ય પટેલને મીડિયાએ પૂછ્યું હતું કે શું તેણે કોઈ નશો કર્યો હતો? તેણે દારૂ પીધો હતો. ગાંજો માર્યો હતો? તેણે આગલી રાત્રે શું કર્યું હતું? તેણે કેફેમાં શું કર્યું હતું? આવા સવાલો મીડિયા દ્વારા તથ્ય પટેલને પૂછવામાં આવ્યા હતા. તો તેણે તમામ આરોપોને નકારી દીધા હતા. જો આ ઘટના પરથી પણ આપણે નહીં શીખીએ તો ફરી આવી ઘટના થતી રહેશે કારણ કે આપણે ફરી 2 દિવસ પછી આ ઘટના ભૂલી જઈશું. આપણે આને એક ઘટના તરીકે લેતા હોઈએ છીએ પરંતુ તે પરિવારોનું શું જેમણે પોતાના વહાલસોયાને આ અકસ્માતમાં ગુમાવ્યા છે? દરેક શુભ પ્રસંગે તે પરિવારના સભ્યો પોતાના સ્વજનને યાદ કરતા રહેશે. માણસ માત્ર યાદોમાં જ રહી જશે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!