ઉત્તરપ્રદેશમાં 3 લોકસભા બેઠકો માટે યોજાઈ પેટાચૂંટણી, ચાલી રહ્યું છે મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 12:38:33

મુલાયમ સિંહની યાદવના નિધન બાદ ખાલી પડેલી મૈનપુરી, રામપુર અને ખતૌલી લોકસભા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. સવારના સાત વાગ્યાથી આ મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે મતદાન કરવા મતદાતાઓ પહોંચ્યા હતા. મૈનપુરી લોકસભા સીટ પર ભાજપના રઘુરાજસિંહ અને મુલાયમ સિંહની વહુ ડિમ્પલ યાદવ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. 

  

3 લોકસભા માટે યોજાઈ પેટાચૂંટણી  

મૈનપુરી લોકસભા માટે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ અખિલેશ યાદવે આક્ષેપ લગાવ્યો કે પોલીસ મતદાન નથી કરવા દેતી.  આ બેઠક પર 1746895 મતદાતાઓ મત આપવાના છે. જ્યારે રામપુર બેઠક માટે 388994 મતદાતાઓ છે જ્યારે ખતોલીમાં 3.16 લાખ મતદાતા છે. કોંગ્રેસે અને બસપાએ આ ચૂંટણી માટે પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં નથી ઉતાર્યા. 11 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો મૈનપુરી લોકસભા પર 19.5 જેટલું મતદાન થઈ ગયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન રામપુરમાં જોવા મળ્યું હતું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.