ATM કાર્ડ બદલી નાખી ગઠિયાઓએ આઠ જ મિનિટમાં આધેડના 1.21 લાખ સેરવી લીધા


  • Published By :
  • Published Date : 2023-10-12 21:32:11

મહેસાણા ગાયત્રી મંદિર પાસે ATMમાં પૈસા ઉપાડવા ગયેલ આધેડનું ATM કાર્ડ બદલી બે ગઠિયાઓએ 1.21 લાખની છેતરપિંડી આચરી હતી. છેતરાયાની જાણ થતાં જ બેંકના કર્મીઓની મદદથી ફરિયાદીએ ATMમાંથી 46 હજાર ઉપાડી લઈ ભાગવા જતા બે પૈકી એક ગઠિયાને ઝડપી પાડયો હતો. ફરિયાદીએ મોબાઈલમાં મેસેજ જોતા બન્ને ગઠિયાઓએ 8 મિનિટમાં 8 ટ્રાંજેક્ષન કરી કુલ 1.21 લાખ રૂપિયા સેરવી લીધા હતા. બનાવની જાણ થતાં પોલીસે એક શખ્સની અટકાયત કરી કુલ હે વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા શહેરમા મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા ગણપત ભાઈ પંચાલને પૈસાની જરૂર પડતા ગાયત્રી મંદિર રોડ પર આવેલ ઇન્ડસઇન્ડ બેંકના એ.ટી.એમ માં પૈસા લેવા ગયા હતા.એ દરમિયાન ATMમાં અજાણ્યા હિન્દી ભાષા બોલતા બે ઈસમો ઉભા હતા એ દરમિયાન વેપારી પોતાના ATM મારફતે પૈસા કાઢતા નાણા નીકળ્યા નહોતા ત્યારબાદ ત્યાં ઉભેલા બે ગઠીયા એ ફરિયાદીને ફોનમાં મેસેજ જોવા કહેતા ફરિયાદી એ પોતાન ફોનમાં મેસેજ જોવા ફોન લીધો હતો એ દરમિયાન ગઠિયા એ પોતાની પાસે રહેલ અન્ય બેન્ક નું ATM ભરાવી ફરિયાદીની નજર ચૂકવી તેઓનું ATM લઈ લીધું હતું

બાદમાં બે અજાણ્યા ઈસમો નીકળી ગયા હતા અને ફરિયાદી ATMમાં પોતાનો પિન નાખી ફરી નાણા કાઢવા પ્રયાસ કરતા રૂપિયા નિકડયા નહોતા બાદમાં ATM માંથી કાર્ડ કાઢી જોતા કાર્ડ અન્ય બેંકનું હોવાનું જાણવા મળતા પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળતા તાત્કાલિક બેંકમાં જઇ સમગ્ર મામલે જાણ કરી હતી.એ દરમિયાન બે ગઠીયાઓએ ફરિયાદીના ATM મારફતે પિન નાખી કુલ 1.21 લાખ ઉપડી ગયા હોવાના અલગ અલગ મેસેજ આવ્યા હતા.

સમગ્ર કેસમાં અજાણ્યા બે ગઠિયા ઘટનાને અંજામ આપવા માટે પોતાની પાસે એક સ્વાઇપ મસીન રાખ્યું હતું.જેમાં ફરિયાદીના 75 હજાર રૂપિયા સ્વાઇપ કરી પોતાના સાગરીતોના ખાતા મા મોકલી દીધા હતા.આમ ફરિયાદીના કુલ 1.21 લાખ રૂપિયા ખાતા માંથી ઉપડી ગયા હતા.જ્યાં 46 હજાર સ્થળ પર મળી આવ્યા હતા.અને 75 હજાર મળી ન આવતા મહેસાણા બી ડિવિઝનમાં આરોપીને પોલીસને સોંપી ફરિયાદ નોંધાવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.