વિશ્વ વિખ્યાત બુર્જ ખલીફા નજીકની 35 માળની ઈમારત પર લાગી આગ, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-07 19:30:15


સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરમાં આગનો એક ઘટના સામે આવી છે. આ દુર્ઘટના સોમવારે વહેલી સવારે થઈ હતી. દુબઈમાં 35 માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દુર્ઘટના એટલા માટે ખૂબ મોટી હતી કારણ કે આગ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પાસે લાગી હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.


પોલીસે ઘટનાનો કર્યો ઈન્કાર 


ઈમારતમાં લાગેલી આગનો વીડિયો જોઈને લાગે છે કે કોઈ મોટી મીણબત્તી સળગી રહી છે. આ ભયાનક આગ ઈમારતના દરેક ફ્લોરની બાલ્કનીમાંથી ફેલાઈ હતી. આગ બુઝાઈ ગયા બાદ ઈમારત પર કાળા નિશાન દેખાય છે. આ ઇમારત UAE સરકાર સમર્થિત એમાર ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલ 8 બુલવાર્ડ વોક નામના ટાવર્સની શ્રેણીનો એક ભાગ છે. દુબઈ પોલીસ અને સિવિલ ડિફેન્સે તાત્કાલિક આગનો ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો ન હતો. એમાર ડેવલપર્સે પણ આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી અને ન તો દુબઈની મીડિયા ઓફિસે આ અંગે કોઈ ટિપ્પણી કરી હતી.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.