Vadodaraમાં બુલેટ ટ્રેનના એક પિલરમાં સ્ટીલનું સ્ટ્રક્ચર અચાનક નમી ગયું, ભ્રષ્ટાચારને કારણે નિર્માણાધીન બિલ્ડીંગો બને છે દુર્ઘટનાનો ભોગ


  • Published By :
  • Published Date : 2023-08-30 14:38:40

રક્ષાબંધનના દિવસે રક્ષા માટે રાખડી બાંધવામાં આવતી હોય છે. મુખ્યત્વે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધતી હોય છે. જેને ભાઈ ના હોય અને મોટી બહેન હોય તો તેમને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે. રક્ષાબંધન પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય હોય છે રક્ષા કરવી. એ રક્ષા માત્ર માણસની હોય તે જરૂરી નથી. નિર્માણાધીન બિલ્ડીંગની રક્ષા પણ કરવી જોઈએ. નિર્માણાધીન બિલ્ડીંગની રક્ષા ભ્રષ્ટાચારથી કરવી છે, નિર્માણાધીન પુલની રક્ષા ભ્રષ્ટાચારના સડાથી કરવી છે. અમે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વડોદરામાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેનનો એક પિલર ગઈકાલે મોડી રાત્રે નમી પડ્યો.    


નિર્માણ દરમિયાન સર્જાય છે અનેક દુર્ઘટના 

અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે, એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નિર્માણાધીન બિલ્ડીંગ, પુલ ધરાશાયી થતા લોકોના મોત થતાં હોય. નિર્માણ વખતે વાપરવામાં આવતું મટિરિયલ એટલી ઓછી ગુણવત્તાનું હોય છે કે હજી તો બ્રિજ બન્યો ન હોય, બિલ્ડીંગ બની ન હોય, રસ્તો ન બન્યો હોય. તે પહેલા જ સ્લેબ અથવા એક ભાગ નીચે પડી જતો હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. દુર્ઘટના સર્જાયા બાદ અધિકારીઓ સ્થળ મુલાકાત લેતા હોય છે, અને આગળની પ્રોસેસ શરૂ થતી હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને વિચાર આવે કે શું તંત્ર મોટી દુર્ઘટના સર્જાવવાની રાહ જોઈ રહ્યું હતું? દુર્ઘટના બાદ અધિકારીઓની ઉંઘ હરામ થઈ જતી હોય છે.


સ્ટ્રક્ટરનો એક પિલર અચાનક નમી પડ્યો... 

વડોદરામાં આવેલી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેન જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે તેનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે રેલવે સ્ટેશન પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેનના એક પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી ગયું હતું. એક પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી પડતા તંત્ર દોડતું થયું છે. પિલર નમી પડતા નિર્માણની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. આ એ પિલરનું નિર્માણ થઈ રહ્યું છે જેની પરથી હાઈ-સ્પીડ ટ્રેન એવી બુલેટ ટ્રેન પસાર થવાની છે. બ્રિજની ઉપરથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. ત્યારે આ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન કોઈપ્રકારની ખામી ન રહે તે માટે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરંતુ ધ્યાન રાખવામાં આવતું હોવા છતાંય આવી દુર્ઘટના સર્જાઈ છે. સ્ટ્રક્ચર ઉભું કરવામાં કોઈ ખામી સર્જાતા અડધા પિલર પરનું સ્ટ્રકર નમી પડ્યું હતું. 

તાત્કાલિક નમી ગયેલા સ્ટ્રક્ચરની કામગીરી શરૂ કરાઈ.

એક રાખડી પિલરોને પણ બાંધવી કે તેમની રક્ષા ભ્રષ્ટાચારથી થાય

આવી દુર્ઘટનાના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. કોઈ વખત ભારે વરસાદને કારણે તો કોઈ વખત વાવાઝોડાને કારણે આવી દુર્ઘટના સર્જાતી રહે છે પરંતુ હમણાં તો નથી વરસાદ કે નથી વાવાઝોડું તો પણ આવી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટના પાછળ નિર્માણ દરમિયાન વાપરવામાં આવતી હલકી ગુણવત્તાવાળો સામાન જવાબદાર છે. નિર્માણ દરમિયાન અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર સૌથી વધારે જવાબદાર છે. ભ્રષ્ટાચાર એક એવો સડો છે જે ધીમે ધીમે આખી સિસ્ટમને ખોખલી કરી દે છે. ભ્રષ્ટાચારનો ભોગ અનેક લોકો બનતા હોય છે ત્યારે રક્ષાબંધનના દિવસે નિર્માણાધીન બિલ્ડીંગો, પુલના પિલરો પર રાખડી બાંધવી જોઈએ. કારણ કે પિલરને પણ રક્ષાની જરૂર છે. કારણ કે જો પાયો જ ખોખલો હશે તો ઈમારત અથવા તો બ્રિજ કેવી રીતે મજબૂત હશે?   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!