આણંદમાં 2.87 કરોડની કિંમતના દારુ-બિયરની 1,35,688 બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું, દારૂની નદી વહેતી થઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું


  • Published By :
  • Published Date : 2023-06-09 17:44:18

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. સરકારી ચોપડો જ રહેલા દારૂબંધીના કાયદાના અનેક વખત લીરેલીરા ઉડી ચૂક્યા છે. બોટાદમાં લડ્ડાકાંડની ઘટના બન્યા બાદ રાજ્યમાં દારૂબંધીની પોલ ખુલી ગઈ છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી અવારનવાર દારૂનો જથ્થો પકડાતો રહે છે. જેમ કે આણંદ જિલ્લામાં પકડાયેલા 2.87 કરોડની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફરવી દેવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના બેડવા એક્સપ્રેસ હાઈવે નજીક બેડવા ઓવરબ્રીજ પાસે છેલ્લા એક વર્ષ દરમ્યાન ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામા આવી ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં સામાન્ય લોકો હાજર રહ્યા હતા. 


દારૂનો મોટો જથ્થો નષ્ટ કરાયો


આણંદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમથી તેમના અધ્યક્ષ સ્થાને તથા આણંદ નાયબ પોલીસ અધિકક્ષકના સુપરવિઝન હેઠળ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી  કરવામા આવી હતી. જેમાં કુલ 186 ગુનામાં કબ્જે કરાયેલ  રૂ. 2.87 કરોડની કિંમતના દેશી અને વિદેશી દારૂની તથા બીયરની 1 લાખ 35 હજાર 688 બોટલો નાશ કરવામાં આવ્યો હતો. બુલડોઝર દ્વારા જ્યારે દારૂનો જથ્થો નાશ કરવામાં આવતો હતો ત્યારે જાણે દારૂની નદીઓ વહેતી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.