અમદાવાદના મીઠાખળીમાં 3 માળનું જર્જરીત બિલ્ડિંગ ધરાશાયી, એકનું મોત, બાળકી સહિત 3નું રેસ્કયૂ


  • Published By :
  • Published Date : 2023-07-10 11:03:48

અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં એક ત્રણ માળનું બિલ્ડિંગ જમીનદોસ્ત થતાં હાહાકાર મચી ગયો છે. આ ભયાનક દુર્ઘટનામાં એકનું મોત અને એક બાળકી સહિત ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 4 વ્યક્તિ કાટમાળ નીચે દબાયાની આશંકા છે. ફાયરબ્રિગેડ દ્વારા કિશન ભાઈ, શિલ્પા બેન, ગોપી ભાઈ તેમજ તનીશ્કાને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાંથી બાળકીને બહાર કાઢી સારવાર માટે ખસેડાઈ હતી. ઘટનામાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું. કાટમાળમાંથી રેસ્ક્યુ કરાયેલા લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.