આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો થશે શુભારંભ, આવતી કાલે બજેટ થશે રજૂ


  • Published By :
  • Published Date : 2023-02-23 10:09:12

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત આજથી થવાની છે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ આવતી કાલે રજૂ કરવાના છે. આ બજેટ ગુજરાત સરકાર 2.0નું પ્રથમ બજેટ હશે. બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી ચાલવાનું છે. 24 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થવા જવાનું છે. 25 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં 27 બેઠકો મળશે. 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે તે બાદ સત્રની શરૂઆત થશે. પ્રથમ વખત એવું બનશે કે વિપક્ષના નેતા વગર સત્ર ચાલશે. 


રાજ્યપાલના સંબોધન બાદ સત્રનો થશે પ્રારંભ

સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન બાદ થશે. રાજ્યપાલના સંબોધન સાથે સત્રનો પ્રારંભ થશે. તે બાદ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ,મહિપતસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. આ સભામાં પચાસ ટકા એવા ધારાસભ્યો હશે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મોહર મારવામાં આવી હતી. 


કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ ન મળવાની સંભાવના   

બજેટ સત્ર પહેલા કોંગ્રેસે વિધાનસભામાં હોદ્દેદારોની વરણ કરી છે. વિજાપુરના ધારાસભ્ય સી,જે ચાવડાને દંડક, ઉપદંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચૂડાસમા, ઈમરાન ખેજાવાલાની વરણી કરવામાં આવી છે. પ્રવક્તા તરીકે તુષાર ચૌધરી, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અનંત પટેલ, કાંતિભાઈ ખરાડીની વરણી કરવામાં આવી છે. નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી ત્યારે કોંગ્રેસને વિપક્ષનું પદ ન મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ મામલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.