ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો વહેલા શરૂ થશે, 30 દિવસ માટે યોજાનારા સત્રનો 2 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-11-27 15:53:11

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 ફેબ્રુઆરીથી શરૂ થશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્ર એક મહિનો વહેલા યોજાશે. 30 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. નાણા મંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભામાં બજેટ રજૂ કરશે.વિધાનસભામાં 2 ફેબ્યુઆરી 2024ની આસપાસ બજેટ સત્ર શરૂ થશે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે બજેટમાં ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં.


લોકસભાની ચૂંટણી બની મોટું કારણ


દેશમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા 2024ની ચૂંટણી યોજાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આજ કારણે ગુજરાત સરકાર વિધાનસભાનું બજેટ સત્ર વહેલા શરૂ કરશે. લોકસભાની ચૂંટણીના કારણે ગુજરાત ભાજપના તમામ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની જશે. આ નેતાઓમાં સરકારના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ પણ રાજ્યની તમામ લોકસભાની સીટો પર પાર્ટીની વિજય પતાકા લહેરાવવા માટે કામે લાગી જશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવાસ કરીને પાર્ટી પદાધિકારીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. પાટીલ ભાજપના નેતાઓ અને કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા માટે આહવાન કરી રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.