હવે કોઈ પણ બિઝનેશ શરૂ કરવા માટે PAN કાર્ડ અનિવાર્ય, પહેલા શું ઝંઝટ હતી? જાણો


  • Published By :
  • Published Date : 2023-02-01 18:18:54

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ અંતે ઈન્કમટેક્સની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આવકવેરાનો સ્લેબ પણ 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું- મધ્યમ વર્ગ માટે આવકવેરા મુક્તિ સૌથી મહત્ત્વની બાબત છે. નાણામંત્રીએ બીજી મહત્વની જાહેરાચ પાન કાર્ડ અંગે કરી છે.


હવે PAN કાર્ડ અનિવાર્ય


નાણામંત્રીએ કોઈ પણ બિઝનેશ શરૂ કરવા માટે પાન કાર્ડને અનિવાર્ય બનાવી દીધું છે. હવે કંપની ખોલવા માટે સમગ્ર દેશમાં પાન કાર્ડ સિવાય અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. નાણામંત્રીએ બજેટમાં કહ્યું છે કે પાન કાર્ડ દેશભરમાં સિંગલ વિન્ડો સિસ્ટમની જેમ કામ કરશે.  


પહેલા આ ડોક્યુમેન્ટની જરૂર પડતી


પાન કાર્ડસ જરૂરી બન્યું તે પહેલા પાન કાર્ડ ઉપરાંત,કંપનીના ડિરેક્ટરોએ સરનામાનો પુરાવો આપવાનો હતો. આ એડ્રેસ પ્રૂફમાં કંપનીના ડિરેક્ટરોના નામ પાન કાર્ડમાં છપાયેલા નામો સાથે મેળ ખાતા હોવા જોઈએ. ઉપરાંત, આ દસ્તાવેજો ઓછામાં ઓછા બે મહિના જૂના હોવા જોઈએ. પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, વીજળી બિલ, ટેલિફોન બિલ અને આધાર કાર્ડનો એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકાશે. સરનામાના પુરાવા ઉપરાંત રહેણાંકના પુરાવાની પણ જરૂર હતી. આ રેસિડેન્શિયલ પ્રૂફમાં ડિરેક્ટરોના નામ પણ પાન કાર્ડમાં છપાયેલા નામો સાથે મેળ ખાતા હોવા જોઈએ. રહેણાંકના પુરાવા તરીકે બેંક સ્ટેટમેન્ટ, વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે સબમિટ કરી શકાય છે.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.