BRTSની ખોટ વધીને અધધધ રૂ.265 કરોડ, વિપક્ષ કોંગ્રેસના શાસક ભાજપ પર આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-01-08 15:07:39

અમદાવાદીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી  BRTS હવે સફેદ હાથી સાબિત થઈ રહી છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો બહોળો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદમાં વર્ષ 2008માં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી.  BRTSની ખોટથી પહેલેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી અમદાવાદ મહાનગરપાલિકાને  જબરદસ્ત ફટકો પડશે તેવી સંભાવના છે.


3 વર્ષમાં BRTSને રૂ.265 કરોડની ખોટ


BRTS જનમાર્ગ સેવા વર્ષ 2008-09માં શરૂ થઈ હતી. છેલ્લા 3 વર્ષમાં BRTSને રૂપિયા 265 કરોડની ખોટ થઈ છે. BRTSની આટલી મોટી ખોટ માટે વિપક્ષના નેતા નીરવ બક્ષીએ સત્તાપક્ષ ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. નિરવ પક્ષીએ કહ્યું કે ટ્રાસન્પોર્ટ સેવાનું ખાનગીકરણ કરી તંત્ર ખોટમાં આવ્યું છે. BRTS ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપતા જ મળતીયાઓ રૂપિયા કમાય છે. 


BRTSની ખોટ અંગે મેયરે શું કહ્યું?


BRTSની ખોટ અંગે ભાજપ પર વિપક્ષ કોંગ્રેસના નેતાઓ માછલા ધોઈ રહ્યા છે મેયરે વિપક્ષને જવાબ આપ્યો છે.વિપક્ષના આક્ષેપનો જવાબ આપતા અમદાવાદના મેયર કિરીટ પરમારે કહ્યું કે, 'ટ્રાન્સપોર્ટ સેવા જનતા માટે હોય છે અને તે ખોટ ખાઈને પણ ચાલવવી પડતી હોય છે. જનતા માટે શરૂ કરવામાં આવેલી સેવામાં નફા-નુકસાનનું જોવાનું હોય નહીં.' 



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .