BRTSની ખોટ વધીને અધધધ રૂ.265 કરોડ, વિપક્ષ કોંગ્રેસના શાસક ભાજપ પર આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-01-08 15:07:39

અમદાવાદીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી  BRTS હવે સફેદ હાથી સાબિત થઈ રહી છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો બહોળો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદમાં વર્ષ 2008માં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી.  BRTSની ખોટથી પહેલેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી અમદાવાદ મહાનગરપાલિકાને  જબરદસ્ત ફટકો પડશે તેવી સંભાવના છે.


3 વર્ષમાં BRTSને રૂ.265 કરોડની ખોટ


BRTS જનમાર્ગ સેવા વર્ષ 2008-09માં શરૂ થઈ હતી. છેલ્લા 3 વર્ષમાં BRTSને રૂપિયા 265 કરોડની ખોટ થઈ છે. BRTSની આટલી મોટી ખોટ માટે વિપક્ષના નેતા નીરવ બક્ષીએ સત્તાપક્ષ ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. નિરવ પક્ષીએ કહ્યું કે ટ્રાસન્પોર્ટ સેવાનું ખાનગીકરણ કરી તંત્ર ખોટમાં આવ્યું છે. BRTS ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપતા જ મળતીયાઓ રૂપિયા કમાય છે. 


BRTSની ખોટ અંગે મેયરે શું કહ્યું?


BRTSની ખોટ અંગે ભાજપ પર વિપક્ષ કોંગ્રેસના નેતાઓ માછલા ધોઈ રહ્યા છે મેયરે વિપક્ષને જવાબ આપ્યો છે.વિપક્ષના આક્ષેપનો જવાબ આપતા અમદાવાદના મેયર કિરીટ પરમારે કહ્યું કે, 'ટ્રાન્સપોર્ટ સેવા જનતા માટે હોય છે અને તે ખોટ ખાઈને પણ ચાલવવી પડતી હોય છે. જનતા માટે શરૂ કરવામાં આવેલી સેવામાં નફા-નુકસાનનું જોવાનું હોય નહીં.' 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.