માંગરોળમાં શેખપુર ગામમાં કેનાલમાં ડૂબતી બહેનને બચાવવા પડેલા ભાઈનું મોત, પરિવાર થયો શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-06-14 19:59:17

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં શેખપુર ગામમાં કેનાલમાં ડૂબવાથી ભાઈ-બહેનના મોતની દુ:ખદ બની છે. શેખપુર ગામમાં બપોરના સમયે ભાઈ અને બહેન વાડી નજીક આવેલી કેનાલ નજીક રમી રહ્યા હતા, ત્યારે બહેન અચાનક જ મતા-રમતા કેનાલ પડી ગઈ હતી. આ દરમિયાન તેણે બચાવ માટે બૂમો પડતા સ્થળ પર હાજર તેનો મોટો ભાઈ એક ક્ષણનું પણ મોડું કર્યા વગર બહેનને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે અંતે આ ઘટનામાં ભાઈ-બહેન બંનેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ કેનાલ પાસે દોડી આવી હતી. બંને બાળકોના મૃતદેહ કાઢી પોસ્ટ માર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.


સમગ્ર ઘટના કેવી રીતે બની?

પોલીસના જણાવ્યા પ્રમાણે માંગરોળના શેખપુર ગામ ખાતે આવેલી વાડીમાં 8 વર્ષીદ અરશદ અને તેની 6 વર્ષીય બહેન કૌશર બંને બપોરે 2 વાગ્યાના સમયગાળામાં વાડીની 100 મીટર નજીક આવેલી કેનાલ પાસે રમી રહ્યા હતા. તે દરમિયાન કૌશર રમતા-રમતા કેનાલમાં પડી ગઈ હતી અને ડૂબવા લાગી હતી. તેણે બચાવ માટે બૂમો પડતાં સાથે રહેલો મોટો ભાઈ અરશદ પળભરનો વિલંબ કર્યા વગર બહેનને બચાવવા કેનાલ કૂદી પડ્યો હતો. જોકે ભાઈને તરતા ન આવડતું હોવાથી બંનેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. લાંબા સમયથી બાળકો ન દેખાતા પરિવારજનો વાડીની આસપાસ શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે તેઓ કેનાલ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને બાળકોના મૃતદેહ કેનાલમાં તરતા જોવા મળ્યા હતા. આ પ્રકારના દૃશ્યો જોતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.


બાળકોના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલાયા


બંને બાળકોના કેનાલમાં ડૂબવા અંગે પરિવારજનોએ માંગરોળ પોલીસને જાણ કરતા માંગરોળ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.