બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે રાજીનામું આપ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 19:39:05

ટૂંક સમય પહેલા જ બ્રિટનની કમાન સંભાળનારા લિઝ ટ્રસે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. લીઝ ટ્રસે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મારા પછીના પ્રધાનમંત્રી કોણ હશે તેની જાહેરાત નહીં થાય ત્યાં સુધી હું પ્રધાનમંત્રી પદે રહીશ. જ્યારે મારા પછીના પ્રધાનમંત્રીની જાહેરાત થશે ત્યારે હું પ્રધાનમંત્રીનો હોદ્દો છોડી દઈશ. 


બ્રિટનના રાજા સાથે ચર્ચા કરીને આપ્યું રાજીનામું

લિઝ ટ્રસે રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે મેં બ્રિટના રાજા કિંગ જ્યોર્જ સાથે ચર્ચા કરી છે. તેમની સાથે ચર્ચા અને સલાહ સૂચનો બાદ મેં રાજીનામું આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે  તેમની મહત્વાકાંક્ષી ટેક્સ કટ પોલિસીના પરિણામ વચ્ચે કન્ઝરવેટીવ પાર્ટીના શાસનનો અંત આવ્યો છે. 


આ કારણથી લિઝ ટ્રસને આપવું પડ્યું રાજીનામું

અત્યારે વૈશ્વિક મોંઘવારી ચાલી રહી છે તમામ દેશોમાં મોંઘવારીની અસર વર્તાઈ છે. આ સમયની અંદર લિઝ ટ્રસે ટેક્સ કટ કરવાની પોલીસી મામલે નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી બોન્ડ માર્કેટમાં ઘટાડો થયો જેના કારણે પાઉન્ડ તૂટવા લાગ્યો હતો. ટ્રસના નિર્ણયોના કારણે તેના પર નોકરી છોડી દેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. હજુ તો પ્રધાનમંત્રી બન્યાને માંડ છ અઠવાડિયા જ થયા હશેને લિઝ ટ્રસને રાજીનામું આપવું પડ્યું છે.





આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.