બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે રાજીનામું આપ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 19:39:05

ટૂંક સમય પહેલા જ બ્રિટનની કમાન સંભાળનારા લિઝ ટ્રસે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. લીઝ ટ્રસે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મારા પછીના પ્રધાનમંત્રી કોણ હશે તેની જાહેરાત નહીં થાય ત્યાં સુધી હું પ્રધાનમંત્રી પદે રહીશ. જ્યારે મારા પછીના પ્રધાનમંત્રીની જાહેરાત થશે ત્યારે હું પ્રધાનમંત્રીનો હોદ્દો છોડી દઈશ. 


બ્રિટનના રાજા સાથે ચર્ચા કરીને આપ્યું રાજીનામું

લિઝ ટ્રસે રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે મેં બ્રિટના રાજા કિંગ જ્યોર્જ સાથે ચર્ચા કરી છે. તેમની સાથે ચર્ચા અને સલાહ સૂચનો બાદ મેં રાજીનામું આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે  તેમની મહત્વાકાંક્ષી ટેક્સ કટ પોલિસીના પરિણામ વચ્ચે કન્ઝરવેટીવ પાર્ટીના શાસનનો અંત આવ્યો છે. 


આ કારણથી લિઝ ટ્રસને આપવું પડ્યું રાજીનામું

અત્યારે વૈશ્વિક મોંઘવારી ચાલી રહી છે તમામ દેશોમાં મોંઘવારીની અસર વર્તાઈ છે. આ સમયની અંદર લિઝ ટ્રસે ટેક્સ કટ કરવાની પોલીસી મામલે નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી બોન્ડ માર્કેટમાં ઘટાડો થયો જેના કારણે પાઉન્ડ તૂટવા લાગ્યો હતો. ટ્રસના નિર્ણયોના કારણે તેના પર નોકરી છોડી દેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. હજુ તો પ્રધાનમંત્રી બન્યાને માંડ છ અઠવાડિયા જ થયા હશેને લિઝ ટ્રસને રાજીનામું આપવું પડ્યું છે.





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.