બ્રિટનમાં દાયકાનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન, લંડનમાં 5 લાખથી વધુ લોકોએ રેલી યોજી


  • Published By :
  • Published Date : 2023-02-02 16:38:05

બ્રિટનમાં પણ મોંઘવારી અને બેરોજગારીને લઈ વિરોધ વધી રહ્યો છે. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકના વિરોધમાં પાંચ લાખથી વધુ લોકો લંડનના માર્ગો પર ઉતરી આવ્યા હતા. લાખો લોકો સ્વયંભુ રીતે આ વિશાળ રેલીમાં જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શકોમાં શિક્ષકો, સિવિલ સર્વન્ટ, લોકોમોટિવ ડ્રાઈવર્સ સહિતના સરકારી કર્મચારીઓ બધા જ કામો પડતા મુકીને વિરોધ કરવા માટે ઉમટી પડ્યા હતા. 


શા માટે વિરોધ પ્રદર્શનો


આ દાયકાના આ સૌથી મોટા વિરોધ પ્રદર્શનનમાં જોડાયેલા લોકોની મુખ્ય માગ પગાર વધારાની હતી. અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત આ લોકોએ સરકાર પાસે પગાર વધારાની માગ કરી હતી. લંડનમાં યોજાયેલા આ ધરણા-પ્રદર્શનોથી ટ્રાફિકની સમસ્યા વણસી હતી. પીએમ ઓફિસે ચેતવણી આપી હતી કે આ વિરોધ પ્રદર્શનના કારણે અવ્યવસ્થા ફેલાશે તેમ છતાં લોકો ધરણા માટે એકઠા થયા હતા.


લોકો માત્ર પાસ્તા ખાઈને દિવસો ગુજારે છે


બ્રિટનમાં મોંઘવારીથી લોકોની હાલત કફોડી થઈ છે. પરિવારનો નિભાવ કરવા માટે પણ પગાર ઓછો પડે તેવી સ્થિતી સર્જાઈ છે. 10 કલાક કામ કરવા છતા પણ લોકોને માત્ર પાસ્તા ખાઈને દિવસો ગુજારવા પડી રહ્યા છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિસ્ક સ્ટડીઝના જણાવ્યા પ્રમાણે વર્ષ 2010થી 2022 વચ્ચે શિક્ષકોના પગારમાં 9થી 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.


પ્રદર્શનને 'લોકડાઉન 2023' નામ આપ્યું 


લંડનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને તમામ અખબારોએ લોકડાઉન 2023 નામ આપ્યું છે. કેટલાક સમાચાર પત્રો વોકઆઉટ વેડનેસડે ડે પણ કહે છે. આ જોરદાર વિરોધ પ્રદર્શનની તુલના વર્ષ 1978-79માં થયેલી હડતાલ સાથે કરવામાં આવી રહી છે. વિંટર ઓફ ડિસ્કન્ટેન્ટ એટલે કે શિયાળાનો અસંતોષ નામ આપ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે