બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયને થયું કેન્સર, 75 વર્ષના કિંગની બકિંઘમ પેલેસમાં ચાલી રહી છે સારવાર


  • Published By :
  • Published Date : 2024-02-06 16:12:16

બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયને કેન્સર થઈ ગયું છે. બકિંઘમ પેલેસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 75 વર્ષના કિંગ ચાર્લ્સના વધેલા પ્રોટેસ્ટની સારવાર દરમિયાન તેમના કેન્સર અંગે જાણકારી આપી છે. નિવેદનમાં તે જાણકારી આપવામા આવી નથી કે કિંગ ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર છે અને શરીરના કયા ભાગમાં કેન્સર છે. એવું કહેવામાં આવ્યું છે કે કેન્સર પ્રોસ્ટેટથી સંબંધિત નથી અને સોમવારે તેમની સારવાર શરૂ થઈ ગઈ છે. કિંગ ચાર્લ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બાદમાં તેમના ઘર પર જ સારવાર કરવામાં આવી રહી છે.


બિમારી જાહેર કરવાની આપી મંજુરી


શાહી પ્રવક્તાએ કહ્યું કે કિંગ ચાર્લ્સ થોડા સમયમાં જ તેમનું કામકાજ શરૂ કરશે. જો કે તેમની બિમારીથી સાજા સમયમાં કેટલો સમય લાગશે તે અંગે કોઈ જાણકાર આપી નથી.  કિંગ ચાર્લ્સના પ્રવક્તાનું કહેવું છે કે તેમણે પોતાના પ્રોસ્ટેટના ઈલાજને જાણી જોઈને જાહેર કર્યો કારણ કે આ કેન્સરની બિમારી અંગે લોકોમાં જાગરૂકતા વધે. 


PM ઋષિ સુનકે સ્વસ્થ થવાની શુભકામના પાઠવી


બ્રિટનના પીએમ ઋષિ સુનકે કિંગ ચાર્લ્સની કેન્સરની બિમારીમાંથી જલ્દી સાજા થાય તે માટે શુભકામના પાઠવતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે કિંગ ચાર્લ્સ સંપુર્ણપણે જલ્દી સાજા થઈ જાય તે માટે હું પ્રાર્થના કરૂં છું. મને તે બાબતમાં કોઈ શંકા નથી કે તે થોડા સમયમાં જ ફરી સ્વસ્થ થઈ પરત ફરશે.   



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .