બ્રિજભૂષણ શરણ સિંહ Vs પહેલવાનોનો વકર્યો વિવાદ! જાતીય શોષણ મામલે ફસાયેલા સાંસદ બ્રિજભૂષણે રદ્દ કરી મહારેલી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-02 15:39:04

ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પરંતુ હજી સુધી તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પહેલવાનોના સમર્થનમાં મહાપંચાયત આવી છે. અનેક રાજકીય પાર્ટીના નેતાઓએ પહેલવાનોની મુલાકાત લીધી હતી. થોડા સમય પહેલા ગંગામાં મેડલને વિસર્જિત કરવાની વાત પહેલવાનો દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેને કેન્સલ કરાયો હતો. અયોધ્યા ખાતે 5 જૂનના રોજ બ્રિજભૂષણ શરણ સિંહ અયોધ્યામાં મહારેલી કરવાના હતા. પરંતુ મહારેલીના કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.


અયોધ્યા ખાતે આયોજીત મહારેલીને રદ્દ કરાઈ!

પહેલવાનો અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે ચાલતો વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. યૌન શોષણના આરોપ મહિલા પહેલવાનોએ લગાવ્યો છે. પહેલવાનોના સમર્થનમાં અનેક સંગઠનો તેમજ રાજનેતાઓ આવ્યા છે. ત્યારે ગંભીર આરોપોમાં ઘેરાયેલા બ્રિજભૂષણે અયોધ્યા ખાતે આયોજીત થનારી મહારેલીને સ્થગિત કરી દીધી છે. 5 જૂનના રોજ આ મહારેલી યોજાવાની હતી પરંતુ વિવાદને જોતા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ તપાસ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સન્માન કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


બ્રિજભૂષણ વિરૂદ્ધ કરવામાં આવેલી બંને FIR સામે આવી!

મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બે FIR કરવામાં આવી છે. બંને FIR સામે આવી છે. એક FIR નાબાલિક છોકરીને લઈ કરવામાં  આવી છે જ્યારે બીજી FIR બાલિક પહેલવાનોના આરોપો પર આધારિત છે. પુખ્ત વયના મહિલા પહેલવાનોએ  કહ્યું કે બ્રિજભૂષણએ અનેક વખત છેડછાડ કરી. બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનોએ જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. આ કેસમાં નવો વળાંક આવ્યો હતો જેમાં આરોપ લગાવનાર નાબાલિક નહીં પરંતુ પુખ્ત વયની છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે વધારે વિરોધને જોતા 5 જૂને અયોધ્યામાં યોજાનારી મહારેલીને રદ્દ કરવામાં આવી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.