યૌન શોષણના આરોપો વચ્ચે બ્રિજભૂષણ શરણ સિંહે પોલીસ સમક્ષ પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા! જાણો આ મામલે શું થઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-05-12 15:26:03

દિલ્હી ખાતે કુસ્તીબાજો WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈ પોલીસ સમક્ષ જવાબ આપવા બ્રિજભૂષણ હાજર થયા હતા. પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહના નિવેદનને લખી દીધો છે. ઉપરાંત પોતાના પર લાગેલા તમામ આરોપોને નકાર્યા છે.

  

પોલીસ સમક્ષ હાજર થયા બ્રિજભૂષણ શરણ સિંહ!

યૌન શોષણના આરોપો મહિલા કુસ્તીબાજોએ WFI અધ્યક્ષ બ્રિજભૂષણ  શરણ સિંહ પર લગાવ્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી પહેલવાનો ધરણા કરી રહ્યા છે. 23 એપ્રિલથી પહેલવાનો ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પહેલા તો તેમના વિરૂદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર કુસ્તીબાજોએ ખખડાવ્યા હતા. જે બાદ પોલીસે અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવી ગયું છે. પોતાના પર લાગેલા આરોપોને બ્રિજભૂષણ સિંહે નકાર્યા છે.          

પહેલવાનો દ્વારા લગાવવામાં આરોપોની તપાસ માટે બનાવાઈ ટીમ!

દિલ્હી પોલીસની એસઆઈટી સમક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ હાજર થયા હતા. પોતાનું નિવેદન દાખલ કરાવ્યું હતું. જો જરૂર પડશે તો ફરી તેમને બોલાવામાં આવશે. પોલીસ સમક્ષ તમામ આરોપો બ્રિજભૂષણ શરણ સિંહે નકાર્યા છે. મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા આરોપને લઈ તપાસ કરવા 10 લોકોની ટીમ બનાવામાં આવી છે. મહિલા અધિકારી આ મામલે નજર રાખશે. મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા આરોપોના પૂરાવા શોધવા ઉત્તરપ્રદેશ. ઝારખંડ, કર્ણાટક, હરિયાણામાં તપાસ કરશે. બ્રિજભૂષણ સિંહ ઉપરાંત ભારતીય કુશ્તી મહાસંઘના આસિસ્ટંટ સેક્રેટરી વિનોદ તોમરનું પણ નિવેદન દાખલ કર્યું છે. દિલ્હી પોલીસની એફઆઈઆરમાં વિનોદ તોમર પર પણ આરોપ લગાવામાં આવ્યા છે.     

Image

પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલે લીધી હતી ધરણા સ્થળની મુલાકાત! 

મહત્વનું છે કે કુસ્તીબાજોને મળવા પ્રિયંકા ગાંધી જંતર મંતર પહોંચ્યા હતા. ત્યાં મહિલા કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. તેના થોડા દિવસો બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતર પર ધરણા કરી રહેલા પહેલવાનો સાથે મુલાકાત કરી હતી. તે સિવાય ત્યાં જ પહેલવાનોએ કસરત શરૂ કરી દીધી હતી. પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ઘર્ષણ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. ત્યારે આ મામલે આગળ શું થાય તે જોવું રહ્યું?      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.