Biharમાં ફરી બ્રિજ ધરાશાયી, પુલ તૂટવાની આ પાંચમી ઘટના, તેજસ્વી યાદવે સાધ્યું નિશાન, લખ્યું બિહારમાં ડબલ એન્જીન સરકાર....


  • Published By :
  • Published Date : 2024-06-29 12:35:22

જ્યારે દુર્ઘટના સર્જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે રાજ્ય બદલાય છે, સ્થળના નામ બદલાય છે, સરકાર બદલાય છે પરંતુ જે નથી બદલાતી તે છે પરિસ્થિતિ.. પુલ તૂટવાની ઘટના અવાર નવાર આપણી સામે આવતી રહે છે. એમાં પણ વરસાદની સિઝનમાં પુલ તૂટવા જાણે સામાન્ય બની ગયા છે.. ફરી એક બ્રિજ તૂટવાની ઘટના બિહારથી સામે આવી છે. છેલ્લા 11 દિવસમાં પુલ તૂટવાની આ પાંચમી ઘટના છે. 

11 દિવસમાં બની 5 પુલ તૂટી જવાની ઘટના 

બિહાર ફરીથી ચર્ચામાં આવ્યું છે.. પહેલા રાજકારણને લઈ બિહાર ચર્ચામાં હતું તો હવે બ્રિજ ધરાશાયી થવાને કારણે ચર્ચામાં આવ્યું છે.., થોડા દિવસો પહેલા જ એક બ્રિજ તૂટી ગયો હતો.. છેલ્લા 11 દિવસમાં પાંચ પુલ તૂટી ગયા છે. તાજેતરમાં જે બ્રિજ તૂટી ગયો છે તે રાજ્યના મધુબની જિલ્લામાં બની રહ્યો હતો. મીડિયા રિપોર્ટના આધારે બ્રિજ મધેપુર પ્રખંડની મહપતિયા મેન રોડ પર બની રહ્યો હતો. એવી પણ વાત મીડિયા રીપોર્ટમાં કરવામાં આવી કે પુલનું ગર્ડર તો બે દિવસ પહેલા જ તૂટી ગયું હતું.. આ ઘટનાની જાણ ના થાય તે માટે તેને ઢાંકી દેવાયું.. 

Video: Portion of another Bihar bridge collapses, fifth in 11 days


ત્રણ કરોડના ખર્ચે બની રહ્યો હતો પુલ

અચાનક વરસાદ થવાને કારણે નદીનું જળસ્તર વધી ગયું અને નિર્માણ પામી રહેલો બ્રિજ ધરાશાઈ થઈ ગયો. એવી માહિતી સામે આવી છે કે ત્રણ કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. રિપોર્ટ પ્રમાણે આ પુલનું નિર્માણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવામાં આવ્યો છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ પુલનું પુન: નિર્માણ કરવામાં આવશે.. મહત્વનું છે કે બિહારથી દર થોડા દિવસે પૂલ તૂટવાની ઘટના બની રહી છે.. 

તેજસ્વી યાદવે સાધ્યું નીતિશ કુમાર પર નિશાન 

11 દિવસમાં પાંચમો પુલ તૂટવાની ઘટના બનતા નીતિશ કુમારને વિપક્ષે ઘેરી છે.. તેજસ્વી યાદવ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે 9 દિવસની અંદર બિહારમાં આ પાંચમો પુલ ધરાશાઈ થયો છે. મધુબની-સુપૌલ વચ્ચે ભૂતહી નદીમાં વર્ષોથી બની રહેલો પુલ પડી ગયો. શું તમને ખબર પડી? ના તો, કેમ? તે સિવાય કયા પાંચ બ્રિજ તૂટ્યા તેની વાત તેમણે બીજી એક પોસ્ટમાં કરી છે. 


અનેક રાજ્યોથી બ્રિજ તૂટવાના સમાચાર આવતા રહે છે.. 

મહત્વનું છે કે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવાને કારણે આવી દુર્ઘટનાઓ થતી હોય છે. મોટા પાયે જાનહાની નથી થઈ, પરંતુ જો જાનહાની થઈ હોત તો? ના માત્ર બિહારમાં પુલ તૂટવાની ઘટના બને છે પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી આવી તસવીરો અવાર નવાર સામે આવતી રહે છે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.