Biharમાં ફરી બ્રિજ ધરાશાયી, પુલ તૂટવાની આ પાંચમી ઘટના, તેજસ્વી યાદવે સાધ્યું નિશાન, લખ્યું બિહારમાં ડબલ એન્જીન સરકાર....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 12:35:22

જ્યારે દુર્ઘટના સર્જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે રાજ્ય બદલાય છે, સ્થળના નામ બદલાય છે, સરકાર બદલાય છે પરંતુ જે નથી બદલાતી તે છે પરિસ્થિતિ.. પુલ તૂટવાની ઘટના અવાર નવાર આપણી સામે આવતી રહે છે. એમાં પણ વરસાદની સિઝનમાં પુલ તૂટવા જાણે સામાન્ય બની ગયા છે.. ફરી એક બ્રિજ તૂટવાની ઘટના બિહારથી સામે આવી છે. છેલ્લા 11 દિવસમાં પુલ તૂટવાની આ પાંચમી ઘટના છે. 

11 દિવસમાં બની 5 પુલ તૂટી જવાની ઘટના 

બિહાર ફરીથી ચર્ચામાં આવ્યું છે.. પહેલા રાજકારણને લઈ બિહાર ચર્ચામાં હતું તો હવે બ્રિજ ધરાશાયી થવાને કારણે ચર્ચામાં આવ્યું છે.., થોડા દિવસો પહેલા જ એક બ્રિજ તૂટી ગયો હતો.. છેલ્લા 11 દિવસમાં પાંચ પુલ તૂટી ગયા છે. તાજેતરમાં જે બ્રિજ તૂટી ગયો છે તે રાજ્યના મધુબની જિલ્લામાં બની રહ્યો હતો. મીડિયા રિપોર્ટના આધારે બ્રિજ મધેપુર પ્રખંડની મહપતિયા મેન રોડ પર બની રહ્યો હતો. એવી પણ વાત મીડિયા રીપોર્ટમાં કરવામાં આવી કે પુલનું ગર્ડર તો બે દિવસ પહેલા જ તૂટી ગયું હતું.. આ ઘટનાની જાણ ના થાય તે માટે તેને ઢાંકી દેવાયું.. 

Video: Portion of another Bihar bridge collapses, fifth in 11 days


ત્રણ કરોડના ખર્ચે બની રહ્યો હતો પુલ

અચાનક વરસાદ થવાને કારણે નદીનું જળસ્તર વધી ગયું અને નિર્માણ પામી રહેલો બ્રિજ ધરાશાઈ થઈ ગયો. એવી માહિતી સામે આવી છે કે ત્રણ કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. રિપોર્ટ પ્રમાણે આ પુલનું નિર્માણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવામાં આવ્યો છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ પુલનું પુન: નિર્માણ કરવામાં આવશે.. મહત્વનું છે કે બિહારથી દર થોડા દિવસે પૂલ તૂટવાની ઘટના બની રહી છે.. 

તેજસ્વી યાદવે સાધ્યું નીતિશ કુમાર પર નિશાન 

11 દિવસમાં પાંચમો પુલ તૂટવાની ઘટના બનતા નીતિશ કુમારને વિપક્ષે ઘેરી છે.. તેજસ્વી યાદવ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે 9 દિવસની અંદર બિહારમાં આ પાંચમો પુલ ધરાશાઈ થયો છે. મધુબની-સુપૌલ વચ્ચે ભૂતહી નદીમાં વર્ષોથી બની રહેલો પુલ પડી ગયો. શું તમને ખબર પડી? ના તો, કેમ? તે સિવાય કયા પાંચ બ્રિજ તૂટ્યા તેની વાત તેમણે બીજી એક પોસ્ટમાં કરી છે. 


અનેક રાજ્યોથી બ્રિજ તૂટવાના સમાચાર આવતા રહે છે.. 

મહત્વનું છે કે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવાને કારણે આવી દુર્ઘટનાઓ થતી હોય છે. મોટા પાયે જાનહાની નથી થઈ, પરંતુ જો જાનહાની થઈ હોત તો? ના માત્ર બિહારમાં પુલ તૂટવાની ઘટના બને છે પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી આવી તસવીરો અવાર નવાર સામે આવતી રહે છે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.