સુરેન્દ્રનગરના વસ્તડી અને ચુડા ગામને જોડતો પુલ ધરાશાયી, ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત, લોકોના ટોળે ટોળા ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2023-09-24 19:51:10

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. વસ્તડી ગામે ભોગાવા નદી પરનો 40 વર્ષ જૂનો જર્જરિત પુલ અંતે ધરાશાઈ થતા લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી. પૂલ તૂટી પડવામાં ચારથી વધુ લોકોને ઈજા પહોંચી છે. ડમ્પર સહિત બે બાઈક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પૂલ ધરાશાયી થતા લોકો ફસાયા હોવાની આશંકા છે. ડમ્પર તેમજ બે બાઈક પણ પૂલથી નીચે પટકાતા ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


આવા જોખમી પુલો પ્રત્યે દુર્લક્ષ્ય ક્યાં સુધી?


વઢવાણ-ચુડા રસ્તા પર વસ્તડી ભોગાવા પરનો પુલ જર્જરિત હતો. આ પુલની દિવાલો ઠેરઠેર તૂટીને સળિયા બહાર દેખાઇ રહ્યા હતા. આ પુલ પરથી પસાર થતા હજારો વાહનો અને મુસાફરોને જોખમ ઊભું થયું હતું. આથી આ પુલ રિપેરિંગ અથવા નવો બનાવવાની માંગ ઊઠી હતી. જો કે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી  જાગ્યુ જ નહીં. જો કે રાજ્યમાં આવા અનેક જર્જરીત બ્રિજ છે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે એટલા બધા આશાવાદી છીએ કે કે જાણે આપણે આપણે આવા પુલ પરથી પસાર થશું તો પણ આપણને કાંઈ જ નહીં થાય. સરકાર પણ આવા પુલના સમારકામ પ્રત્યે દુર્લક્ષ્ય દાખવી રહી છે. જ્યારે મોરબી જેવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જ તંત્ર અચાનક જ સફાળું જાગે છે,  જો કે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આપણે ભૂતકાળના અનુભવોમાંથી ક્યારે શીખીશું?




ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?