સુરેન્દ્રનગરના વસ્તડી અને ચુડા ગામને જોડતો પુલ ધરાશાયી, ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત, લોકોના ટોળે ટોળા ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2023-09-24 19:51:10

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. વસ્તડી ગામે ભોગાવા નદી પરનો 40 વર્ષ જૂનો જર્જરિત પુલ અંતે ધરાશાઈ થતા લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી. પૂલ તૂટી પડવામાં ચારથી વધુ લોકોને ઈજા પહોંચી છે. ડમ્પર સહિત બે બાઈક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પૂલ ધરાશાયી થતા લોકો ફસાયા હોવાની આશંકા છે. ડમ્પર તેમજ બે બાઈક પણ પૂલથી નીચે પટકાતા ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


આવા જોખમી પુલો પ્રત્યે દુર્લક્ષ્ય ક્યાં સુધી?


વઢવાણ-ચુડા રસ્તા પર વસ્તડી ભોગાવા પરનો પુલ જર્જરિત હતો. આ પુલની દિવાલો ઠેરઠેર તૂટીને સળિયા બહાર દેખાઇ રહ્યા હતા. આ પુલ પરથી પસાર થતા હજારો વાહનો અને મુસાફરોને જોખમ ઊભું થયું હતું. આથી આ પુલ રિપેરિંગ અથવા નવો બનાવવાની માંગ ઊઠી હતી. જો કે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી  જાગ્યુ જ નહીં. જો કે રાજ્યમાં આવા અનેક જર્જરીત બ્રિજ છે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે એટલા બધા આશાવાદી છીએ કે કે જાણે આપણે આપણે આવા પુલ પરથી પસાર થશું તો પણ આપણને કાંઈ જ નહીં થાય. સરકાર પણ આવા પુલના સમારકામ પ્રત્યે દુર્લક્ષ્ય દાખવી રહી છે. જ્યારે મોરબી જેવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જ તંત્ર અચાનક જ સફાળું જાગે છે,  જો કે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આપણે ભૂતકાળના અનુભવોમાંથી ક્યારે શીખીશું?




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.