ભાવનગરમાં બની હ્રદયદ્રાવક ઘટના, લગ્નના દિવસે જ પુત્રીનું મોત થતાં પિતાએ બીજી દિકરી વળાવી


  • Published By :
  • Published Date : 2023-02-23 18:21:03

ભાવનગરમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે, શહેરના સુભાષનગરના ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડના ઘરે દિકરીના લગ્ન લેવાઈ રહ્યા હતા, ઘરમાં ખુશી પ્રસંગ હતો. લગ્નગીતોથી ઘરનો માહોલ ગુંજતો હતો પણ જે પુત્રીના લગ્ન થઈ રહ્યા હતા તેને અચાનક હાર્ટ એટેક આવતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.


પિતાએ જાનને પાછી જવા ન દીધી


વ્હાલસોયી પુત્રીના મોતની આ કરૂણ ઘટનાથી પરિવારજનો પર તો જાણે આભ તુટી પડ્યું. આ અત્યંત ગમગીન માહોલમાં પણ દીકરીના પરિવારના મોભી જીણાભાઈ ભકાભાઈ રાઠોડે હ્રદય પર પથ્થર મુકી મહત્વનો નિર્ણય લીધો. તેમણે માનસિક સ્વસ્થતા જાળવી માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી મૃતકની નાની બહેનને પરણાવી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. વિધીની વક્રતા કેવી કે જે વરરાજાની સાળી થવાની હતી તેને પરણેતર થવાનો યોગ સર્જાયો.


કઈ રીતે કન્યાનું મોત થયું? 


જીણાભાઈ રાઠોડની દીકરી હેતલના લગ્ન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલ સાથે થવાના હતા. જાન પણ ભાવનગર આવી પહોંચી હતી, પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા અને બેભાન થયા બાદ 108માં સારવાર માટે લઇ જવાઇ પણ તબીબે જણાવ્યું હતુ કે આ દીકરીનું એકાએક એટેક આવતા નિધન થયું હતુ. બાદમાં જીણાભાઈએ તેમની દીકરી હેતલના નશ્વર દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી બીજી દીકરીનું કન્યા દાન કર્યું હતું.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.