Breaking: લોકસભામાં રજૂ કરવામાં આવ્યું શ્વેતપત્ર, મોદી સરકાર UPAના આર્થિક ગેરવહીવટ પર કરશે ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-08 17:35:08

મોદી સરકાર દ્વારા લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે NDA સરકાર વતી શ્વેતપત્ર રજૂ કર્યું છે. UPA સરકાર દરમિયાન કથિત આર્થિક ગેરવહીવટ સામે સરકાર આ શ્વેતપત્ર લાવી છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસે આના વિરોધમાં 'બ્લેક પેપર' લાવવાનો નિર્ણય કર્યો છે.


શા માટે મોદી સરકાર  લાવી 'વ્હાઈટ પેપર'?


સૌથી પહેલા તો જાણી લો કે મોદી સરકાર 'વ્હાઈટ પેપર' કેમ લાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ દ્વારા સાંસદોને જણાવવામાં આવશે કે વર્ષ 2014 (મોદી સરકારની રચના પહેલા) પહેલા દેશ કેવા પ્રકારનું શાસન, આર્થિક અને રાજકોષીય સંકટનો સામનો કરી રહ્યો હતો. આ સિવાય સંસદ સભ્યોને જનતાને જણાવવા માટે કહેવામાં આવશે કે મોદી સરકારે આર્થિક સ્થિતિ સુધારવા માટે શું પગલાં લીધાં છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.