Breaking: લોકસભામાં રજૂ કરવામાં આવ્યું શ્વેતપત્ર, મોદી સરકાર UPAના આર્થિક ગેરવહીવટ પર કરશે ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-08 17:35:08

મોદી સરકાર દ્વારા લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે NDA સરકાર વતી શ્વેતપત્ર રજૂ કર્યું છે. UPA સરકાર દરમિયાન કથિત આર્થિક ગેરવહીવટ સામે સરકાર આ શ્વેતપત્ર લાવી છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસે આના વિરોધમાં 'બ્લેક પેપર' લાવવાનો નિર્ણય કર્યો છે.


શા માટે મોદી સરકાર  લાવી 'વ્હાઈટ પેપર'?


સૌથી પહેલા તો જાણી લો કે મોદી સરકાર 'વ્હાઈટ પેપર' કેમ લાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ દ્વારા સાંસદોને જણાવવામાં આવશે કે વર્ષ 2014 (મોદી સરકારની રચના પહેલા) પહેલા દેશ કેવા પ્રકારનું શાસન, આર્થિક અને રાજકોષીય સંકટનો સામનો કરી રહ્યો હતો. આ સિવાય સંસદ સભ્યોને જનતાને જણાવવા માટે કહેવામાં આવશે કે મોદી સરકારે આર્થિક સ્થિતિ સુધારવા માટે શું પગલાં લીધાં છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે