બ્રેકિંગ! હજારો ઉમેદવારો માટે રાહતના સમાચાર, GETCOની પરીક્ષાની નવી તારીખ જાહેર


  • Published By :
  • Published Date : 2023-12-21 16:30:35

રાજ્ય સરકારે GETCOની પરીક્ષા ફરીથી યોજવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે GETCO દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળ્યા બાદ સરકારે GETCOની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. આ ફરિયાદના આધારે તપાસ કમિટીની રચવામાં આવી હતી. સરકારને પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી હતી. પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરવામાં આવતા હજારો ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે. 


આ તારીખે લેવાશે પરીક્ષા


GETCO ના વિદ્યુત સહાયકની પરીક્ષા 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ અંગેની માહિતી અનુસાર, જેટકો દ્વારા હાલમાં રદ્દ કરવામાં આવેલી પરીક્ષા અંગે સરકારે તાત્કાલિક જ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં આગામી 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે છ જગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે. તેમજ 7 જાન્યુઆરીએ અમદાવાદમાં લેખિત પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી છે.


શા માટે રદ્દ થઈ હતી પરીક્ષા?


રાજ્યના રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવામાં આવી હતી. જે બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે, વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ક્લાઈબિંગ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી. રાજ્ય સરકારે આ કમિટીની ભલામણો સ્વિકારી લઈ પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.  


અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી


GETCOની પરીક્ષામાં ગેરરિતી મુદ્દે સરકારે કડક કાર્યવાહી કરતા GETCOના HR મેનેજરની બદલી કરી હતી. જ્યારે અન્ય જવાબદાર અધિકારીઓને પણ નોટીસ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં જેની પણ ભુલ હશે તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ સરકારે તૈયારી કરી છે. ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.