Breaking News : Surat લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત! મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા!


  • Published By :
  • Published Date : 2024-04-22 16:50:08

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે. ગુજરાતની 26 બેઠકો પર ભાજપ જીતશે તેવા દાવાઓ અનેક વખત ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે એક બેઠક પર ભાજપની જીત હમણાંથી થઈ ગઈ છે. સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. ત્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે. મહત્વનું છે આ અંગેની સત્તાવાર જાહેરાત ત્રણ વાગ્યા બાદ થઈ શકે છે... ઉલ્લેખનિય છે કે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. સી.આર.પાટીલે સુરત લોકસભા બેઠકના ઉમેદવારને જીત બદલ શુભેચ્છા પાઠવી છે.       

ભાજપના ઉમેદવારને વગર ચૂંટાયે મળી ગઈ જીત! 

ગુજરાતની 26 લોકસભા બેઠક પર કોણ જીત હાંસલ કરશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. મતદાન 7મેના રોજ થવાનું છે અને પરિણામ 4 જૂનના રોજ આવવાનું છે. ઉમેદવારી ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. કઈ બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે તે અંગેનું ચિત્ર આજ બપોર સુધીમાં ક્લીયર થઈ જશે. આ બધા વચ્ચે સુરત લોકસભા બેઠક પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.. ગુજરાતના ઈતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના હશે જ્યાં મતદાન થાય તે પહેલા જ ઉમેદવારની જીત થઈ ગઈ છે...! 

બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પરત લીધું ફોર્મ 

સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિમહરીફ ચૂંટાયા છે.. એક તરફ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યારે આજે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચી લીધું છે. મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક પર થોડા દિવસોથી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રવિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યારે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે.. 


કોંગ્રેસ ઉમેદવારના ઉમેદવારી ફોર્મને લઈ થયો વિવાદ 

સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપ સહિત 9 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. તેમાંથી 8 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે.. જેને કારણે આજે ભાજપના ફાળે  સુરત લોકસભા બેઠક આવી છે.. મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ વિવાદ ઉભો થયો હતો.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.