Breaking News : NEETની પરીક્ષાને લઈ Supreme Courtએ આપ્યો મહત્વનો નિર્ણય, આ ઉમેદવારોને ફરી આપવી પડશે પરીક્ષા..


  • Published By :
  • Published Date : 2024-06-13 12:08:42

NEET UGના પરિણામને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી..સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા એનટીએને નોટિસ આપવામાં આવી હતી અને જવાબ માગવામાં આવ્યો હતો. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 1563 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા તેમને ફરીથી પરીક્ષા આપવી પડશે.. અને આ પરીક્ષા 23 જૂને લેવાશે અને તેનું પરિણામ 30 જૂને આવશે..   


શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટમાં નીટની પરીક્ષાને લઈ આજે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે.. ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓનું પરિણામ રદ્દ કરવામાં આવ્યું છે.. આ નિર્ણયને કારણે 1563 ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે.. જો ઉમેદવારો ફરીથી પરીક્ષા નહીં આપે તો તેને ગ્રેસ માર્ક નહીં મળે.. આવા વિદ્યાર્થીઓ માટે ગ્રેસ માર્ક વિના નવું સ્કોર કાર્ડ જાહેર કરવામાં આવશે.. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઈન્કાર કરાયો છે.. 23 જૂને ફરીથી આ પરીક્ષા લેવામાં આવશે.



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.