Breaking News : મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને Supreme Courtએ આપી મોટી રાહત, શરતી જામીન તો મળ્યા પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-03-22 13:11:07

થોડા વર્ષો પહેલા મોરબીમાં એક મોટી હૃદયદ્રાવક ઘટના બની હતી. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ અચાનક પડી ગયો હતો અને અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. 30 ઓક્ટોબર 2022ના રોજ બનેલી ઘટનામાં 135 લોકોના જીવ ગયા હતા. જયસુખ પટેલ પોલીસ કસ્ટડીમાં હતા. જામીન માટે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અને તે અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. મહત્વનું છે કે હાઈકોર્ટે તેમની જામીન અરજીને ફગાવી દીધી હતી.  

હાઈકોર્ટે અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા જયસુખ પટેલ 

મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ 2022માં તૂટી પડ્યો હતો. 135 લોકોના મોત આ દુર્ઘટનામાં થયા હતા. દિવાળીનો તહેવાર અનેક પરિવારો માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. આટલો સમય થયો એટલે કદાચ આપણે આ ઘટનાને ભૂલી ગયા હોઈશું પરંતુ તે પરિવારો આ ઘટનાને ક્યારેય નહીં ભૂલી થશે જેમાં તેમણે પોતાના પરિવારના સ્વજનને ગુમાવ્યા હતા. જયસુખ પટેલની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જયસુખ પટેલ અનેક દિવસોથી જેલમાં હતા. હાઈકોર્ટમાં જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી. તે બાદ જામીન માટે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે જામીન અરજીને સ્વીકારી લીધી છે અને તેમને શરતી જામીન મળી ગયા છે. 


મોરબીની કોર્ટ કરશે જામીનની અરજી નક્કી

ઓરેવાના માલિક જયસુખ પટેલને શરતી જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બની તે બાદથી ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ ફરાર હતા. આ કેસમાં પોલીસે ગુન્હો દાખલ કરી 9 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આ કાર્યવાહી કરી ત્યારથી જયસુખ પટેલ ફરાર હતા. થોડા દિવસો સુધી તે ફરાર રહ્યા અને તે બાદ તેમણે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. અંદાજીત 14 મહિનાથી ઝુલતા બ્રિજનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલમાં હતા. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન મંજૂર કર્યા છે. મળતી માહિતી અનુસાર મોરબીની કોર્ટ જામીનની શરતો નક્કી કરશે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.