Breaking News : 'એક દેશ-એક ચૂંટણી'ને લઈ કેન્દ્ર સરકારે કમિટીની કરી રચના, આમને બનાવાયા કમિટીના અધ્યક્ષ


  • Published By :
  • Published Date : 2023-09-01 12:54:06

કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. વિશેષ સત્ર બોલાવાતા રાજકીય વર્તુળમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે એક દેશ ચૂનાવને લઈ નિર્ણય આવી શકે છે. ત્યારે ન્યુઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલેથી એક માહિતી આપી છે કે એક દેશ એક ચૂંટણીને લઈ કમિટી બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણીને લઈ કમિટીની રચના કરી છે જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવાયા છે.

  

      

મોદી સરકાર લાવી શકે છે એક દેશ એક ચૂંટણી પર બિલ! 

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સત્ર દરમિયાન સંસદની પાંચ બેઠકો યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર 'એક દેશ-એક ચૂંટણી' પર બિલ લાવી શકે છે. દેશમાં લાંબા સમયથી 'વન નેશન-વન ઈલેક્શન'ની ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કાયદા પંચે રાજકીય પક્ષોને આ અંગે છ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું હતું. સરકાર તેનો અમલ કરવા માંગે છે, પરંતુ ઘણા રાજકીય પક્ષો તેની વિરુદ્ધ છે.


લો કમિશને રાજકીય પાર્ટીઓ પાસે માગ્યો હતો જવાબ

22મા કાયદા પંચે રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના મંતવ્યો માંગતી જાહેર નોટિસ બહાર પાડી હતી. કાયદા પંચે પૂછ્યું હતું કે શું એકસાથે ચૂંટણી યોજવાથી કોઈ પણ રીતે લોકશાહી, બંધારણના મૂળભૂત માળખાનું કે દેશના સંઘીય માળખાનું ઉલ્લંઘન થાય છે? કમિશને એમ પણ પૂછ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા અથવા ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઈ રાજકીય પક્ષ પાસે સરકાર બનાવવા માટે બહુમતી ન હોય, ત્યારે વડા પ્રધાન અથવા મુખ્ય પ્રધાનની નિમણૂક ચૂંટાયેલી સંસદ અથવા વિધાનસભાના સ્પીકર દ્વારા કરી શકાય છે? ત્યારે એવી માહિતી સામે આવી રહી છે આ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે અને પૂર્વરાષ્ટપતિ રામનાથ કોવિંદને આ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.