Breaking News : Sikkimમાં વાદળ ફાટતા તીસ્તા નદીમાં આવ્યું પૂર, સેનાના જવાનો થયા લાપતા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 09:53:22

દેશના અનેક રાજ્યોમાં વરસાદે ભારે બેટિંગ કરી છે. એટલો બધો વરસાદ વરસ્યો કે ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે સિક્કિમમાં લ્હોનક ઝીલ ઉપર અચાનક વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂરમાં સેનાના 23 જવાનો લાપતા થઈ ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષાકર્મીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. જવાનોને શોધવા માટે તપાસ ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે જે જગ્યા પર આ ઘટના બની તે જગ્યાની મુલાકાત સિક્કમના મુખ્યમંત્રીએ લીધી છે.

 

આભ ફાટવાને કારણે નદીમાં આવ્યું પૂર  

વાદળ ફાટવાને કારણે અનેક વખત તારાજી સર્જાય છે. ઘણા વર્ષો પહેલા ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું. એ ઘટનામાં બહુ મોટું નુકસાન થયું હતું. એ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં ઘણા વર્ષો વિત્યા હતા ત્યારે સિક્કિમમાં પણ વાદળ ફાટવાની ઘટના બની છે. સિક્કિમમાં કુદરતી આફત આવી છે. આભ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઘટનામાં સેનાના 23 જેટલા જવાનો લાપતા થઈ ગયા છે. આર્મી જવાનોનો ક્યાં જતા રહ્યા તે જાણી શકાયું નથી.

 


સૈનાના વાહનો આવ્યા પૂરની ચપેટમાં 

ઉત્તર સિક્કિમમાં લ્હોનક સરોવર પર વાદળ ફાટ્યું જેને કારણે નદીમાં ભયંકર પૂર આવ્યું. નદીમાં પૂર આવવાને કારણે ખીણમાં પાણી આવી પહોંચ્યું હતું. અને પૂરે પોતાની લપેટામાં સેનાના જવાનો આવી ગયા છે.  સિંગતામ નજીક બારદાંગમાં ઊભેલા સૈન્ય વાહનો પણ પૂરની લપેટમાં આવી ગયા હતા અને તેના લીધે સૈન્યના 23 જવાનો ગુમ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.