Breaking News - Swati Maliwal Caseમાં આવી મોટી update, કેજરીવાલના PA બિભવ કુમાર પોલીસ હિરાસતમાં! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 13:36:38

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતી માલીવાલ  થોડા દિવસોથી ચર્ચામાં છે.. તેમણે અરવિંદ કેજરીવાલના પીએમ બિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો છે.. 13મેના રોજ તેમની પર હુમલો કરાયો છે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી.. આને લઈ રાજનીતિ પણ ગરમાઈ.. સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યો આ અંગે સવાલ

સ્વાતી માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએ પર મારપીટ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.. આ મામલે એકબાદ એક અનેક વીડિયો સામે આવી રહ્યા છે.. ગઈકાલે પણ એક વીડિયો આવ્યો હતો સામે ત્યારે આજે પણ વીડિયો સામે આવ્યો છે. આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. બીજેપી આમ આદમી પાર્ટીને ઘેરવાની કોશિશ કરી રહી છે તો આપ ભાજપ પર આરોપ લગાવી રહી છે. બે દિવસ પહેલા જ્યારે અરવિંદ કેજરીવાલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાત પર જવાબ આપવાનું ટાળ્યું હતું.. 


સ્વાતી માલીવાલે કરી હતી પોલીસ ફરિયાદ 

સ્વાતી માલીવાલે પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ કાલે તે કોર્ટમાં હાજર થયા હતા. એફઆઈઆરની કોપી પણ સામે આવી છે જેમાં અનેક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ બધા વચ્ચે બિભવ કુમાર પોલીસ કસ્ટડીમાં છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે