Breaking News - Swati Maliwal Caseમાં આવી મોટી update, કેજરીવાલના PA બિભવ કુમાર પોલીસ હિરાસતમાં! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 13:36:38

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતી માલીવાલ  થોડા દિવસોથી ચર્ચામાં છે.. તેમણે અરવિંદ કેજરીવાલના પીએમ બિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો છે.. 13મેના રોજ તેમની પર હુમલો કરાયો છે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી.. આને લઈ રાજનીતિ પણ ગરમાઈ.. સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યો આ અંગે સવાલ

સ્વાતી માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએ પર મારપીટ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.. આ મામલે એકબાદ એક અનેક વીડિયો સામે આવી રહ્યા છે.. ગઈકાલે પણ એક વીડિયો આવ્યો હતો સામે ત્યારે આજે પણ વીડિયો સામે આવ્યો છે. આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. બીજેપી આમ આદમી પાર્ટીને ઘેરવાની કોશિશ કરી રહી છે તો આપ ભાજપ પર આરોપ લગાવી રહી છે. બે દિવસ પહેલા જ્યારે અરવિંદ કેજરીવાલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાત પર જવાબ આપવાનું ટાળ્યું હતું.. 


સ્વાતી માલીવાલે કરી હતી પોલીસ ફરિયાદ 

સ્વાતી માલીવાલે પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ કાલે તે કોર્ટમાં હાજર થયા હતા. એફઆઈઆરની કોપી પણ સામે આવી છે જેમાં અનેક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ બધા વચ્ચે બિભવ કુમાર પોલીસ કસ્ટડીમાં છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.     



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.