Breaking News : કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની કરાઈ હત્યા! સુખા દુન્નાકને મરાઈ 15 ગોળીઓ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-21 11:19:36

હરદીપ નિજ્જરની હત્યાને લઈ કેનેડાના વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ બંને દેશો એટલે કે ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. બંને દેશો દ્વારા ત્વરીત કાર્યવાહી પણ કરવામાં આવી. ત્યારે આજે કેનેડામાં એ-કેટેગરીના ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 2017માં નકલી પાસપોર્ટ બનાવી તે પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સુખા દુન્નાકેને ગોળી કેનેડાના વિનીપેગમાં મારવામાં આવી છે. 15 ગોળી મારી તેની હત્યા કરવામાં આવી છે.


એનઆઈએના લિસ્ટમાં સામેલ હતું સુખવિંદર સિંહનું નામ 

ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી છે. કેનેડાના પીએમે સંભાવના વ્યક્ત કરતા સંસદમાં કહ્યું હતું કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધો બગડ્યા હતા. કેનેડામાં રહેતા ભારતીયો માટે ભારતના પ્રશાસન દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી. ત્યારે આજે કેનેડામાં ગેંગસ્ટર સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા ગોળી મારીને કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે એનઆઈએ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગેંગસ્ટર તેમજ આતંકવાદીઓની લિસ્ટમાં તેનું નામ પણ હતું. આ લિસ્ટમાં 41 જેટલા આતંકવાદીઓના નામનો સમાવેશ થાય છે. કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના બની છે. 


15 ગોળી મારી કરાઈ આતંકવાદીની હત્યા!

જે આતંકવાદીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તે એ કેટેગરીનો આતંકી છે. 2017માં પંજાબથી તે નકલી પાસપોર્ટ બનાવી કેનેડા ભાગી ગયો હતો. કેનેડાની પીનીપેગ સિટીમાં તેની હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેને 15 ગોળીઓ મારવામાં આવી હતી. 

 


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.