Breaking News : Ahmedabadના નવા મેયરની કરાઈ નિમણૂંક, જાણો કોણ બન્યા અમદાવાદના પ્રથમ નાગરિક?


  • Published By :
  • Published Date : 2023-09-11 11:51:55

અમદાવાદના નવા મેયર કોણ બનશે તેની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે હવે નવા મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદની સુકાન પ્રતિભા જૈનને સોંપવામાં આવી છે જ્યારે વડોદરાની સૂકાન પિન્કી સોનીને સોંપવામાં આવી છે. બંને મહાનગર પાલિકામાં મહિલાઓની વરણી મેયર તરીકે કરવામાં આવી છે. અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે. તે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની પસંદગી કરવામાં આવી છે.   


અમદાવાદને મળ્યા પ્રથમ નાગરિક 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પદાધિકારીઓની અઢી વર્ષની ટમ પૂર્ણ થઈ ગઈ છે જેને લઈ આજે નવા મેયરની નિયુક્તિ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના નવા સુકાની કોણ બનશે તે માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. સેન્સ બાદ પ્રદેશ પાર્લામેન્ટમાં પસંદગીની મુહર લગાવવામાં આવી હતી અને આજે તેની જાહેરાત કરવામાં આવી છે.  વડોદરા તેમજ અમદાવાદને નવા મેયર મળ્યા છે. બંને જગ્યા પર મહિલાની પસંદગી મેયર તરીકે કરવામાં આવી છે. 


વડોદરાના નવા મેયર બન્યા પિન્કી સોની

હવેથી અમદાવાદની કમાન શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન સંભાળશે. અમદાવાદના પ્રથમ નાગરિક પ્રતિભા જૈન બન્યા છે જ્યારે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલની વરણી ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો મેયર તરીકે પિન્કી સોનીની નિર્મણૂક કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની નિમણૂંક કરવામાં આવી છે. તે સાથે ડો. શીતલ મિસ્ત્રીની પસંદગી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કરવામાં આવી છે. તો મનોજ પટેલની પસંદગી શાસક પક્ષના નવા નેતા તરીકે કરવામાં આવી છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!