Breaking News : ફાઈનલ થઈ ગયું કે Lok sabha Election માટે BJP આમને નહીં આપે ટિકીટ! જાણો બીજેપીએ કોના પત્તા કાપ્યા?


  • Published By :
  • Published Date : 2024-02-29 09:06:45

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 26 બેઠકો માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ તેજ બની છે. પાર્લામેન્ટરી બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે. ભાજપ માટે એવું માનવામાં આવે છે કે નવા ચહેરાને ઉમેદવારી કરવાની તક આપે છે. જૂના ઉમેદવારોને રિપીટ નથી કરવામાં આવતા સામાન્ય રીતે. કોને ઉમેદવાર બનાવવામાં આવશે, કોના નામની જાહેરાત કરવામાં આવશે તેનું અનુમાન લગાવું કદાચ અશક્ય છે. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક પર ઉમેદવાર ફાઈનલ છે તેવું માનવામાં આવી રહ્યું છે બાકીની 25 બેઠકો માટે મનોમંથન પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવી વાત સામે આવી છે કે વર્તમાન ધારાસભ્યોને ટિકીટ નહીં આપવામાં આવે. જે ધારાસભ્યો છે તેમના નામ પર બીજેપીના હાઈકમાન્ડે કાતર ફેરવી શકે છે તેવી માહિતી સામે છે.



ગાંધીનગર સિવાયની બેઠકો માટે થવાની છે ચર્ચા!

દેશમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખો માટેની રાહ જોવાઈ રહી છે. રાજકીય પાર્ટી ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરી રહી છે. કોઈ પણ ચૂંટણી કેમ ના હોય ભાજપ સમજી વિચારીને બધી ગણતરી કરીને ઉમેદવારના નામની ઘોષણા કરે છે.ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પાર્લામેન્ટરી બેઠક મળવાની છે અને ઉમેદવારોના નામ અંગેની ચર્ચા થઈ રહી છે. એવી માહિતી મળી રહી છે કે ગાંધીનગર બેઠક માટે ઉમેદવાર ફાઈનલ થઈ ગયા છે અને તે છે અમિત શાહ. બાકીની તમામ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અનેક બેઠકો માટે અનેક નામોની ચર્ચા થઈ રહી છે. 



ઉમેદવારના રેસમાં કોના નામ આગળ ચાલી રહ્યા છે? 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર તેમજ અમરેલી બેઠક માટે મનસુખ માંડવિયાના નામની ચર્ચા થઈ રહી છે. ભારતીબેન શિયાળ અને નારણ કાછડીયાને તક નહીં આપવામાં આવે તો મનસુખ માંડવિયાનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. મનસુખ માંડવિયા ઉમેદવાર બની શકે છે, મહત્વનું છે કે રાજ્યસભા સાંસદ તરીકે તેમની ટર્મ પૂરી થઈ ગઈ અને તેમને રિપીટ પણ નથી કરવામાં આવ્યા તો લાગતું હતું કે તેમને લોકસભાના ઉમેદવાર બનાવાઈ શકાય છે. તે ઉપરાંત મહેસાણા બેઠક પર નીતિન પટેલ તેમજ રજની પટેલના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 



ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવા પ્રબળ દાવેદાર!

એક તરફ એવું માનવામાં આવી રહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક માટે નવો ચહેરો ઉતારી શકે છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવા પ્રબળ દાવેદાર છે. ઉમેદવારોના નામ પર દિલ્હીમાં ચર્ચાઓ થઈ રહી છે. 26માંથી 25 બેઠકોના ઉમેદવારોના નામને લઈ દિલ્હીમાં ચર્ચા થશે. આ બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે જ્યારે ગુજરાતથી પણ મુખ્યમંત્રી, સી.આર.પાટીલ દિલ્હીમાં છે તેવી માહિતી સામે આવી છે.  



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.