Breaking News : જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં થયું અંધાધૂધ ફાયરિંગ, ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-07-31 11:25:55

મહારાષ્ટ્રના પાલઘર નજીક જયપુર-મુંબઈ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનમાં અંધાધૂધ ફાયરિંગ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ફાયરિંગ આરપીએફ જવાન દ્વારા કરવામાં આવ્યું છે અને મૃતકોમાં આરપીએફ ASI જવાન તેમજ 3 યાત્રિકો સામેલ છે. ફાયરિંગ કરી આરપીએફ જવાન ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો. મળતી માહિતી અનુસાર જવાનને કસ્ટડિમાં લઈ લેવાયો  છે. કયા કારણોસર આ અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું જેનું કારણ હાલ સામે નથી આવ્યું.   

રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાન દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ 

અંધાધૂધ ફાયરિંગ થવાની ઘટના મુખ્યત્વે આપણે વિદેશમાં બનતી હોવાનું સાંભળીએ છીએ. ત્યાંથી આ પ્રકારના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ આ વખતે ભારતમાં ફાયરિંગ થયું હોય તેવી માહિતી સામે આવી છે. આ ફાયરિંગ ટ્રેનમાં કરવામાં આવ્યું છે અને કોઈ સામાન્ય માણસે નહીં પરંતુ રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફ જવાન દ્વારા કરવામાં આવ્યું છે. આરપીએફ જવાને પોતાના જ સિનિયર પર ગોળીબારી કરી છે અને તેમાં તેમનું મૃત્યુ થયું છે સાથે અન્ચ ત્રણ મુસાાફરોના પણ મોત અંધાધૂધ ફાયરિંગમાં થયા છે. મળતી માહિતી અનુસાર ટ્રેનના બી-5 કોચમાં સવારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. જે આરપીએફ જવાન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે તેમનું નામ ચેતન છે. ગોળીબારી કરનાર આરપીએફ જવાનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહી હતી.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!