Breaking News : Andhrapradeshના પૂર્વ મુખ્યમંત્રી Chandrababu Naiduની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-09 12:33:49

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ શનિવાર સવારે સીઆઈડી દ્વારા કરવામાં આવી છે. સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસમાં પૂર્વ સીએમની ધરપકડ કરવામાં આવી છે. બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરી ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સીઆઈડી દ્વારા તેમની ધરપકડ શનિવાર સવારે કરવામાં આવી છે. તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.  

250 કરોડના કૌભાંડ કેસમાં કરાઈ કાર્યવાહી!

અનેક વખત આપણે ભ્રષ્ટાચાર થયા હોવાના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અનેક વખત ભ્રષ્ટાચારીઓમાં અનેક મોટી હસ્તીઓના નામનો સમાવેશ થતો હોય છે. ત્યારે આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની  ધરપકડ સીઆઈડી દ્વારા કરવામાં આવી છે. સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસમાં ભ્રષ્ટચારના આરોપો અંતર્ગત તેમની ધરપકડ કરાઈ છે. 2021માં ચંદ્રબાબુ નાયડુ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આંધ્ર પ્રદેશ પોલીસે પૂર્વ સીએમના પુત્રને પણ હિરાસતમાં લીધા છે. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પર સ્કિલ ડેવલપમેંટ કૌભાંડના 250 કરોડની ગડબડી કર્યા હોવાનો આરોપ છે. આ કેસના મુખ્ય આરોપી તેમને ગણાવવામાં આવ્યા છે. TDP અધ્યક્ષની ધરપકડ થતાં જ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી દીધું હતું. 

કયા કૌભાંડને લઈ કરાઈ પૂર્વ સીએમની ધરપકડ?
 

સ્કિલ ડેવલપમેન્ટ  કૌભાંડ અંતર્ગત પૂર્વ સીએમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે યોજનાની વાત કરીએ તો યુવાનોમાં સ્કીલ જાગૃત કરવા માટે સરકારે યોજના શરૂ કરી હતી. યોજના અંતર્ગત હૈદરાબાદ અને તેની આસપાસ રહેતા વિસ્તારોમાં સ્થિત ઔદ્યૌગિક કંપનીમાં કામ કરવા માટે યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ યોજનાની જવાબદારી એક કંપનીને સોંપવામાં આવી હતી. યોજના હેઠળ, છ ક્લસ્ટર બનાવવામાં આવ્યા હતા અને તેના પર કુલ 3300 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. જેમાં દરેક ક્લસ્ટર પાછળ 560 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. 


કેબિનેટને તત્કાલીન ચંદ્રાબાબુ નાયડુ સરકારે માહિતી આપી હતી કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર કુલ ખર્ચના 10 ટકા ખર્ચ કરશે એટલે કે 370 કરોડ રૂપિયા ખર્ચશે. જ્યારે બાકીનો ખર્ચો એટલે કે 90 ટકા ખર્ચ કૌશલ્ય વિકાસ તાલીમ કંપની સિમેન્સ દ્વારા કરવામાં આવશે. એવો આરોપ છે કે ચંદ્રબાબુ નાયડુ સરકારે યોજના હેઠળ ખર્ચ કરવા માટેના 371 કરોડ રૂપિયા શેલ કંપનીઓને ટ્રાન્સફર કર્યા હતા. પૂર્વ સીએમ પર એવો પણ આરોપ છે કે શેલ કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરવા સંબંધિત દસ્તાવેજો પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.