Breaking News : Moroccoમાં આવેલા ભૂકંપે મચાવી તબાહી, ધરતીકંપ થવાને કારણે થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-09-09 11:31:20

વિશ્વના અનેક દેશોમાં ભારે ભૂકંપને કારણે તબાહી સર્જાતી હોય છે. ત્યારે મોરક્કોમાં શુક્રવાર મોડી રાત્રે એટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો કે 290થી વધારે લોકોના મોત થઈ ગયા. શુક્રવાર મોડી રાત્રે મોરક્કોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મોરક્કોના ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ તીવ્ર ભૂકંપને કારણે લગભગ 296 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 153 ઘાયલ થયા છે. 

રાજધાની રબાતમાં પણ લોકોએ આખી રાત રસ્તા પર પસાર કરી હતી.



મારકેશ શહેરમાં એક મકાન ધરાશાયી થયું.

આ મારકેશ શહેરની મસ્જિદ છે, જે ભૂકંપથી નાશ પામી છે.

6.8 તીવ્રતાનો ભૂકંપ આવતા મચી તબાહી 

શુક્રવાર મોડી રાત્રે આફ્રિકન દેશ મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ હતી. હજી સુધી મરનારની સંખ્યા 296 આસપાસ પહોંચી છે પરંતુ આગામી સમયમાં આ મોતનો આંકડો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો, અમેરિકાના જિયોલોજિકલ સર્વેએ જે માહિતી આપી છે તે મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મરક્કેશ શહેરથી 71 કિમી દૂર હતું. 

ભારત મોરક્કોને સંભવિત તમામ મદદ કરશે - પીએમ મોદી  

સ્થાનિય સમયાનુસાર ભૂકંપના આંચકા 11.11 વાગ્યે મહેસૂસ કરાયા હતા. આટલી તીવ્રતાથી ભૂકંપ આવવાથી અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ હતી. પત્તાની જેમ ઈમારતો પડવા લાગી. અનેક લોકોના મોત તો હજી સુધી થઈ ગયા છે જ્યારે હજૂ પણ આ મોતનો આંકડો વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભૂકંપ સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે આટલી તીવ્રતાનો ભૂકંપ 100થી વધારે વર્ષો બાદ નોંધાયો છે. આ ભૂકંપને લઈ ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે