Breaking News : Moroccoમાં આવેલા ભૂકંપે મચાવી તબાહી, ધરતીકંપ થવાને કારણે થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-09-09 11:31:20

વિશ્વના અનેક દેશોમાં ભારે ભૂકંપને કારણે તબાહી સર્જાતી હોય છે. ત્યારે મોરક્કોમાં શુક્રવાર મોડી રાત્રે એટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો કે 290થી વધારે લોકોના મોત થઈ ગયા. શુક્રવાર મોડી રાત્રે મોરક્કોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મોરક્કોના ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ તીવ્ર ભૂકંપને કારણે લગભગ 296 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 153 ઘાયલ થયા છે. 

રાજધાની રબાતમાં પણ લોકોએ આખી રાત રસ્તા પર પસાર કરી હતી.



મારકેશ શહેરમાં એક મકાન ધરાશાયી થયું.

આ મારકેશ શહેરની મસ્જિદ છે, જે ભૂકંપથી નાશ પામી છે.

6.8 તીવ્રતાનો ભૂકંપ આવતા મચી તબાહી 

શુક્રવાર મોડી રાત્રે આફ્રિકન દેશ મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ હતી. હજી સુધી મરનારની સંખ્યા 296 આસપાસ પહોંચી છે પરંતુ આગામી સમયમાં આ મોતનો આંકડો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો, અમેરિકાના જિયોલોજિકલ સર્વેએ જે માહિતી આપી છે તે મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મરક્કેશ શહેરથી 71 કિમી દૂર હતું. 

ભારત મોરક્કોને સંભવિત તમામ મદદ કરશે - પીએમ મોદી  

સ્થાનિય સમયાનુસાર ભૂકંપના આંચકા 11.11 વાગ્યે મહેસૂસ કરાયા હતા. આટલી તીવ્રતાથી ભૂકંપ આવવાથી અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ હતી. પત્તાની જેમ ઈમારતો પડવા લાગી. અનેક લોકોના મોત તો હજી સુધી થઈ ગયા છે જ્યારે હજૂ પણ આ મોતનો આંકડો વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભૂકંપ સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે આટલી તીવ્રતાનો ભૂકંપ 100થી વધારે વર્ષો બાદ નોંધાયો છે. આ ભૂકંપને લઈ ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે.    



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.