Breaking News : ડો. ચગ આત્મહત્યા મામલે કરવામાં આવેલી અરજીને હાઈકોર્ટે ફગાવી, સ્યુસાઈડ નોટમાં સાંસદના નામનો હતો ઉલ્લેખ!


  • Published By :
  • Published Date : 2023-05-01 16:28:34

વેરાવળના ડો. અતુલ ચગનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. અતુલ ચગે પોતાની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતાનું નામ લખ્યું હતું. આ મામલે વેરાવળ પોલીસે ફરિયાદ ન નોંધી હતી. જેને લઈ ગુજરાત હાઈકોર્ટમાં ચગના પૂત્રએ કેન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી છે. હાઈકોર્ટના અધિકારી ક્ષેત્રમાં મામલો આવતો ન હોવાથી અરજીને ફગાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું હતું. 


અતુલ ચગના પુત્રએ કરી હતી હાઈકોર્ટમાં અરજી!

થોડા મહિનાઓ પહેલા વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે અતુલ ચગે પોતાની સ્યુસાઈડ નોટમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. જેને લઈ અતુલ ચગના પુત્રએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જે બાદ હાઈકોર્ટના હુકમ બાદ 66 જેટલા દિવસો બાદ પોલીસ ફરિયાદ નોંધાશે.  

ડોક્ટરે લખેલી 2 લીટીની સુસાઈડ નોટ

અનેક મહિના વીત્યા બાદ પણ પોલીસે ન નોંધી હતી ફરિયાદ!

વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગે થોડા સમય પહેલા આપઘાત કરી લીધો હતો. મરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી જેમાં બે લોકોના નામ લખ્યા હતા. તેમણે પોતાની સ્યુસાઈડ નોટમાં  સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આ કેસને લગભગ બે મહિનાથી વધુ સમય પસાર થયા હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં ન આવતા તેમના પુત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી ન હોવાથી અરજીને ફગાવી દેવામાં આવી છે. ત્યારે ફરિયાદી વકીલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે. 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?