Breaking News : Delhi CM Arvind Kejriwalને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ તારીખ સુધી આપ્યા વચગાળાના જામીન


  • Published By :
  • Published Date : 2024-05-10 15:28:23

લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ મામલે છેલ્લા અનેક મહિનાઓથી જેલવાસ ભોગવી રહ્યા છે.. કથિત દારૂ કૌભાંડ કેસમાં તેમની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી હતી.. અરવિંદ કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પકડારી હતી. ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ ત્યાંથી રાહત ના મળતા તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ કેસની સુનાવણી થોડા દિવસોથી ચાલી રહી હતી. ત્યારે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.  

ઈડીએ કરી હતી અરવિંદ કેજરીવાલની ધરપકડ 

ઈડીએ પૂછપરછ માટે અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું. પરંતુ તે પૂછપરછ માટે હાજર રહ્યા ના હતા. પૂછપરછ કરવા માટે ઈડી તેમના ઘરે પહોંચી ગઈ હતી. અનેક કલાકો સુધી તેમની પૂછપરછ થઈ અને અંતે તેમની ધરપકડ કરી લેવામાં આવી... તે હાલ જેલવાસો ભોગવી રહ્યા છે. વચગાળાના જામીન માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે તેમની અરજીનો સ્વીકાર કર્યો હતો અને આ મામલે સુનાવણી કરી હતી.


1લી જૂન સુધીના કેજરીવાલને મળ્યા વચ્ચગાળાના જામીન

સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.. અરવિંદ કેજરીવાલ તેમજ આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચ્ચગાળાના જામીન આપ્યા છે.. પહેલી જૂન સુધી માટે અરવિંદ કેજરીવાલના જામીનને મંજૂર કર્યા છે.. બીજી તારીખે કેજરીવાલને આત્મસમર્પણ કરવાનું રહેશે. અનેક શરતોને આધીન તેમને આ વચ્ચગાળાના જામીન આપવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે..      



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.