Breaking News : Congressના ધારાસભ્ય Chirag Patelએ Shankar Chaudharyને સોંપ્યું રાજીનામું, કોંગ્રેસમાં ગાબડું!


  • Published By :
  • Published Date : 2023-12-19 12:44:15

કોંગ્રેસમાં ગાબડું પડી શકે છે તેવી ચર્ચા સવારથી ચાલતી હતી. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપશે તેવી અટકળો ચાલતી હતી આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.    


ધારાસભ્ય પદ ઉપરથી ચિરાગ પટેલે આપ્યું રાજીનામું 

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. પોતાના પદ પરથી તેમજ પાર્ટીને તેઓ અલવિદા કહી રહ્યા છીએ. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.  ગમે ત્યારે તે પણ ગંગાસ્નાન કરી શકે છે મતલબ ગમે ત્યારે તે ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો ચાલી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ


રાજીનામું આપ્યા બાદ બદલાયા ચિરાગ પટેલના સૂર

ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ધારાસભ્યના રાજીનામા બાદ તેમણે કહ્યું કે ‘દેશના હિતની વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશા પાછળ રહે છે. મારા વિસ્તારના હિતની વાત આવે ત્યારે મારે આ પાર્ટીમાં વધારે રહેવું મને હિતાવહ નથી લાગ્યું. મારા અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગૂંગણામળ અનુભવી રહ્યા છે. દિવસેને દિવસે કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવી રહી છે. કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઇ અને કરવાનું કાંઇ, આમાં વધારે સમય રહી ન શકાય. એટલે મારા વિસ્તારના લોકો માટે મેં રાજીનામું આપ્યું છે.


બે બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી 

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. 182 બેઠકોની વિધાનસભાઓ માટે ચૂંટણી યોજાઈ  હતી પરંતુ બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા બે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.